હીરા પાયો ગાંઠ ગઠિયાયો, બાર બાર વાંકો ક્યોં ખોલે.
હલકી થી તબ ચડી તરાજુ, પૂરી ભઈ અબ ક્યોં તોલે ?
સુરત કલારી ભઈ મતવારી, મધવા પી ગઈ બિન તોલે.
તેરા સાહિબ હૈ ઘટમાંહી, બાહર નૈનાં ક્યોં ખોલે ?
હંસા પાયો માનસરોવર, તાલ તલૈયાં ક્યાં ખોજે ?
કહત કબીરા સુનો ભાઈ સાધો, સાહિબ મિલ ગયે તિલ ઓલે.
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે જ્યારે મન પરમાત્માના પ્રેમરસમાં ડૂબીને મસ્ત બની ગયું છે તો પછી બોલવાનું ક્યાં બાકી રહ્યું ? હીરો મળી ગયા પછી એને ગાંઠ બાંધીને સલામત જગ્યાએ મુકી દીધો. હવે વારે વારે ગાંઠ ખોલીને એને જોયા કરવાની શી જરૂર છે ? મર્યાદાની બહાર મદ્યપાન કરવામાં આવે તો મતિ મારી જાય છે, એની નિર્ણયશક્તિ નાશ પામે છે. એવી જ રીતે જ્યારે વસ્તુ હલકી (અપૂર્ણ) હોય છે ત્યારે એને ત્રાજવે ચઢાવી તોલવામાં આવે છે. પણ જ્યારે એ પૂર્ણ થઈ જાય છે પછી તેને કોણ ને કેવી રીતે તોલે ? હે સાધક, તારો સાહેબ (પરમાત્મા) તારા શરીરની અંદર છે. એમને અવલોકવા દ્રષ્ટિને બહિર્મુખ શા માટે કરે છે ? રાજહંસને માનસરોવર મળી જાય પછી તે તળાવ તથા સરોવરને શા માટે શોધે ? અર્થાત્ આત્માએ એના મૂળ સનાતન સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિતિ કરી લીધી પછી તે દુન્યવી વસ્તુઓમાં ફાંફા શા માટે મારે. કબીર કહે છે કે હે સાધુપુરૂષ, સાંભળો, જેમ તલમાં તેલ હોય છે તેમ તમારી અંદર જ આત્મા વિરાજી રહ્યો છે. એને પામી લો, પછી કશું પામવાનું બાકી નહી રહે.
English
Hira Paya Ganth Ganthiyayo,
Bar Bar Wahko Kyon khole
Halki Thi Jab Chari Tarazu,
Poori Bhayee Tab Kyon Tole
Surat Kalari Bhayee Matwari,
Madwa Pe Gayee Bin Tole
Hansa Paye Mansarover,
Tal Taliya Kyon Dole
Tera Sahib Hai Ghat Mahin,
Bahar Naina Kyon Khole
Kahat Kabir Suno Bhai Sadho,
Sahib Mil Gaye Til Ole
Hindi
हीरा पायो गांठ गठियाओ, बार-बार वाको क्यों खोले ।
हलकी थी, तब चढ़ी तराजू पूरी भई तब क्यों तोले ॥
सुरति कलारी भई मतवारी, मदवा पी गई बिन तोले ।
हंसा पाये मान सरोवर, ताल तलैया क्यों डोले ॥
तेरा साहेब है घट माहीं बाहर नैना क्यों खोले ।
कहैं कबीर सुना भाई साधो साहिब मिल गये तिल आले ॥
Comments