श्रीराम ने बाण से वालि को मारा
अस कहि चला महा अभिमानी । तृन समान सुग्रीवहि जानी ॥
भिरे उभौ बाली अति तर्जा । मुठिका मारि महाधुनि गर्जा ॥
तब सुग्रीव बिकल होइ भागा । मुष्टि प्रहार बज्र सम लागा ॥
मैं जो कहा रघुबीर कृपाला । बंधु न होइ मोर यह काला ॥२॥
एकरूप तुम्ह भ्राता दोऊ । तेहि भ्रम तें नहिं मारेउँ सोऊ ॥
कर परसा सुग्रीव सरीरा । तनु भा कुलिस गई सब पीरा ॥३॥
मेली कंठ सुमन कै माला । पठवा पुनि बल देइ बिसाला ॥
पुनि नाना बिधि भई लराई । बिटप ओट देखहिं रघुराई ॥४॥
(दोहा)
बहु छल बल सुग्रीव कर हियँ हारा भय मानि ।
मारा बालि राम तब हृदय माझ सर तानि ॥ ८ ॥
શ્રીરામ વાલિનો બાણ મારીને નાશ કરે છે
(દોહરો)
એમ કહી સુગ્રીવને તૃણસમાન જાણી
ચાલ્યો લડવા વાલિ એ અતીવ અભિમાની.
ધમકાવ્યો સુગ્રીવને મુક્કો માર્યો તેમ
ગરજીને, સુગ્રીવ તો નાઠો વ્યાકુળ જેમ.
વજ્રસમો લાગ્યો કઠિન એને એક પ્રહાર,
રઘુવીર કહ્યું એહણે વાલિ ભ્રાત ના, કાળ.
એકરૂપ છો બંધુ બે રામે કહ્યું તમે,
એથી એને ના હણ્યો સંદેહથકી મેં.
સ્પર્શ કરી સુગ્રીવને કર્યું વજ્રસમ અંગ,
માળ પહેરાવી ધરી શક્તિ દિવ્ય અનંત.
વૃક્ષ ઓથથી રામ એ જોઇ યુદ્ધ રહ્યા,
સુગ્રીવે બળ વાપરી છળને ખૂબ કર્યાં.
કિન્તુ હૃદય હારી ગયું આર્ત એનું જ્યારે
રામે હૃદયે વાલિના શર માર્યું ત્યારે.