સમાધિને ચઢાવવાની ને ઉતારવાની મને ચિંતા નથી. તેવી ચિંતામાં પડવું હોય તે ભલે પડે: પ્રિયતમ પ્રભુની સ્ફુરણા મને અંદર ને બહાર બધે થઈ રહી છે. એટલે આંખ મીંચવાની ને ઊઘાડવાની મને ચિંતા નથી.
જે દેખાય, સંભળાય ને અનુભવાય છે તે પ્રભુનું જ સ્વરૂપ છે. પ્રભુ જ આ સૃષ્ટિના સ્વરૂપમાં સાકાર થઈને રમી રહ્યા છે. એ અનુભવનો મને આનંદ છે. એટલે પ્રાણાયમ ને તપની મને તમા નથી. સાધનાની મને ચિંતા નથી.
મારો માર્ગ પ્રેમનો છે, ને તે દ્વારા મને પ્રિયતમનો મેળાપ થઈ રહ્યો છે. હવે મને શાંતિ છે. મારી આંખ ને મારા રોમરોમમાં અમી છે. ભય ને શોકની મને ચિંતા નથી. સમાધિને ચઢાવવાની ને ઉતારવાની મને ચિંતા નથી.
- શ્રી યોગેશ્વરજી
જે દેખાય, સંભળાય ને અનુભવાય છે તે પ્રભુનું જ સ્વરૂપ છે. પ્રભુ જ આ સૃષ્ટિના સ્વરૂપમાં સાકાર થઈને રમી રહ્યા છે. એ અનુભવનો મને આનંદ છે. એટલે પ્રાણાયમ ને તપની મને તમા નથી. સાધનાની મને ચિંતા નથી.
મારો માર્ગ પ્રેમનો છે, ને તે દ્વારા મને પ્રિયતમનો મેળાપ થઈ રહ્યો છે. હવે મને શાંતિ છે. મારી આંખ ને મારા રોમરોમમાં અમી છે. ભય ને શોકની મને ચિંતા નથી. સમાધિને ચઢાવવાની ને ઉતારવાની મને ચિંતા નથી.
- શ્રી યોગેશ્વરજી