નિરાશ થયેલા શિષ્યે ગુરુ પાસે આવીને ફરિયાદ કરી: ‘પ્રભુ, કુદરતની લીલા કેવી છે તેની મને ખબર પડતી નથી. પ્રભુનું સ્મરણ ને મનન તો હું સારી રીતે કરું છું. મને કોઈના તરફ રાગદ્વેષ પણ નથી. સૌની અંદર પ્રભુના પ્રકાશનું દર્શન કરવાનો પ્રયાસ પણ હું કરી રહ્યો છું. પરંતુ આશ્ચર્ય તો એ છે કે મિત્રતાનો દાવો કરનારા કાલે મારા દુશ્મન બને છે. જેના તરફ પુષ્કળ પ્રેમ હોય છે તે જ મારા તરફ ઉદાસીન બને છે. ને એકવાર જે મારી પ્રશંસા કરે છે ને મને પૂજે છે, તે થોડા વખત પછી મને નિંદે છે ને વગોવે છે. કુદરતની લીલા કેવી છે તેની મને સમજ પડતી નથી.’
ગુરુએ કહ્યું: ‘ઈશ્વરની કૃપા છે કે તારા જીવનમાં એવા પ્રસંગ બન્યા કરે છે. તે વિના તારું હૃદય એક ઈશ્વરને માટે જ કેમ તલપાપડ થાય? ઈશ્વર તને સમજાવે છે કે ક્યાંય પણ પ્રીતિ, મમતા ને આસક્તિ કરવા જેવી નથી. તે તો એક ઈશ્વરમાં જ કરવા જેવી છે. તને કોઈ નિંદે, વગોવે કે શત્રુ માને, તેથી શું? તારા જીવનને તું નિર્મમ ને નિર્વૈર રાખે એટલું પૂરતું છે. એ માટે ઈશ્વર તને તાલીમ આપે છે એમ સમજી લે.’
- શ્રી યોગેશ્વરજી
ગુરુએ કહ્યું: ‘ઈશ્વરની કૃપા છે કે તારા જીવનમાં એવા પ્રસંગ બન્યા કરે છે. તે વિના તારું હૃદય એક ઈશ્વરને માટે જ કેમ તલપાપડ થાય? ઈશ્વર તને સમજાવે છે કે ક્યાંય પણ પ્રીતિ, મમતા ને આસક્તિ કરવા જેવી નથી. તે તો એક ઈશ્વરમાં જ કરવા જેવી છે. તને કોઈ નિંદે, વગોવે કે શત્રુ માને, તેથી શું? તારા જીવનને તું નિર્મમ ને નિર્વૈર રાખે એટલું પૂરતું છે. એ માટે ઈશ્વર તને તાલીમ આપે છે એમ સમજી લે.’
- શ્રી યોગેશ્વરજી