કોઇ સંત નથી, આવા કોઈ સંત નથી.
સર્વ સમર્થ અન્ય ના આવા, સાચી વાત કથી. ...કોઈ.
શરણાગતના મંગલ માટે, કરતા મદદ બધી;
ઉદ્ધાર કરે અનાથ જનનો, કોઈ સિદ્ધ નથી. ...કોઈ.
માતપિતા જેવા મમતાભર ભરિયા પ્રેમથકી,
સિદ્ધિના સ્વામી પ્રભુ જેવા, પ્રેમી અન્ય નથી. ...કોઈ.
'પાગલ’ મંગલ જો ચાહે તો લેજે વાત લખી;
સાંઈને જ કરી લે તારા રથના માત્ર રથી. ...કોઈ.
- શ્રી યોગેશ્વરજી