કેમ કૃપાળુ તમે કહેવાયા ?
શરણાગત પ્રતિપાલક તેમજ,
અધમોદ્ધારક કેમ મનાયા ?
કૃપા કરીને તારો મુજને,
દીનબંધુ કહો કેમ ગણાયા ?..કેમ કૃપાળુ
પ્રેમ કરી અપનાવો આજે,
પ્રેમસિંધુ છો કેમ ગવાયા;
શાંતિ ધરી દો શાંતિપ્રદાયક
શાસ્ત્રમહીં સર્વત્ર કહાયા...કેમ કૃપાળુ
મહિમા મોટો માની આવ્યો,
કરી દો હવે સત્વર દાયા;
'પાગલ’ પ્રભુ ના તલસાવો,
કરમાઈ છે છેક જ કાયા....કેમ કૃપાળુ
- શ્રી યોગેશ્વરજી