તમારા ભક્તોને સંકટ ના આવે !
જોજો તાપ ન લેશ તપાવે.
કોઈ ચિંતાયે ન સતાવે; ....તમારા.
સૌની સંભાળ સદા રાખો,
કષ્ટો કાયમ કાપી નાખો;
સૌયે જીવન પૂર્ણ મનાવે. ....તમારા.
ઢાળો દિવ્ય કૃપાની ધારા,
આપો શાંતિ તથા સુખ ન્યારાં;
બેસે સૌ મુક્તિને નાવે. ....તમારા.
સૌની ઉન્નતિ હો હરકાળે,
હો ના પંથ કરાળ લગારે;
દોરો સૌને નિશદિન ભાવે. ....તમારા.
ગાયુ ભાવભક્તિને દાવે,
જોજો કલેશ કઠોર ન ફાવે; ....તમારા.
- શ્રી યોગેશ્વરજી