મારા આશ્રમના એકાંત ઉપવનનાં આ ફૂલ !
માળીએ એમને ચૂંટીને દેવમંદિરે મૂકી દીધાં છે : મંદિરની મૂર્તિની શોભા કર્યાં છે. એથી એ ફૂલ ને દેવતા બંને કૃતાર્થ થયા છે.
એવાં જ પણ એથીયે અનોખાં છે મારા અંતરના આંગણિયે ઊગેલાં આ ફોરમવંતા ફૂલ ! લાલ ને શ્વેતરંગી સુંદર કમળ જેવાં એ તમારે માટે છે : તમારા જ અભિષેક અને આનંદ માટે છે.
એમના રૂપમાં આવિર્ભાવ પામેલું મારું અંતર અને અંગનું અણુએ અણુ આજે તમારે શ્રીચરણે ધરું છું ને પૂજા પૂરી કરું છું !
(૩૦-૩-૧૯૬૦, બુધવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)