ધર્મસંસ્થાપન પરમભક્તોતણી રક્ષા
અધર્મતણા અંત માટે માનવીમૂલ્યો
રક્ષવા દર્શાવવા લીલા વિવિધ કરવા
ધરિત્રીના તાપને સંતાપને હરવા
માનવીને યુગોયુગની પ્રેરણાને ધરવા
ઇશ્વરે લીધા જગતમાં મનાતા અવતાર
તિતીર્ષુને કરી દેવા અવિદ્યાથી પાર
દિવ્ય દર્શન આપવાને વળી વારંવાર.
કિન્તુ અંતે માતનું મનહર સ્વરૂપ ધર્યું
પ્રેમમય મધુતાથી મઢેલું શુચિ મમત્વભર્યું
થઇને નિર્બંધ કરવા પ્રગટ પ્રેમસ્વરૂપ
બન્યા માતા સગૌરવ સાનંદ જગના ભૂપ
પ્રાણ ત્યારે એમનો પામ્યો પરમસંતોષ
વિરલાએ ઓળખ્યા જોવા છતાં હરરોજ.
- શ્રી યોગેશ્વરજી