જેમનાં સત્કર્મો સમુદય પામ્યા હોય તેવા માણસો જ શ્રેયને માર્ગે વળે છે અને વળ્યા પછી તેને વળગી રહે છે. આગળ ને આગળ વધે છે. તેવા માનવોને જ ધ્યાન કરવું ગમે છે, નામજપનો આધાર લેવાનું પસંદ પડે છે, સ્વાધ્યાયની પ્રવૃતિઓમાં રસ લાગે છે. તેઓ પોતાના જીવનના વિશોધન કે પરિશોધનને માટે પ્રયત્નો કરે છે. તેઓને આચાર-વિચારની શુધ્ધિનો આગ્રહ રાખવાનું ગમે છે. આ તો પૂર્વસંસ્કારની વાત છે, બધાને કાંઈ તેવું થતું નથી.