મારા દિલમાં લાગી લ્હાય.
મને દર્શન ક્યારે થાય ?
કેમે કરતાં મટે નહીં તે, કરિયા કોટિ ઉપાય;
ઔષધ અજમાવું તે કોનું, કેની લઊં સહાય? ... મારા.
રાતદિવસ ના શાંત બને તે, પ્રતિપળ વધતી જાય;
ગમે નહીં મુજને કૈં બીજું, ના કૈં મુજથી થાય... મારા.
બળતરા બળે ખૂબ જ એની, તો પણ મન તો ગાય;
જુગજુગથી એ જાણે લાગી; પ્રાણ રસમહીં ન્હાય... મારા.
બદરીપુરી ફર્યો ને કાશી, છેક ન તોયે જાય;
નદીનીરમાં બહુબહુ ન્હાયો, કૃશ પણ કીધી કાય... મારા.
લ્હાય મટે ના કેમે કરતાં, સદા પ્રાણને ખાય;
‘પાગલ’ કહે પધારો પ્રેમે, તો તો પૂરી જાય... મારા.
- © શ્રી યોગેશ્વરજી

