Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જે તમને પ્રેમ કરે,
તેને શાશ્વત ધામ મળે.

શરણ તમારે આવીને જે
તમને યાદ કરે;
જપે, ભજે ને ગાય તમોને,
તે તો તાપ તરે ... જે તમને.

સેવે તમને, નિશદિન ચાહે,
તમને પ્રાણ ધરે;
મીન જેમ જે જલે તમારા
જીવે તેમ મરે ... જે તમને.

ચાતક જેમ જ ઝંખે તમને,
અમૃત આશ કરે;
સઘળા સ્વાદ અસાર જણાયે,
ધ્યાન તમારું ધરે ... જે તમને.

તપે, રડે ને સહે સંકટો,
વ્યાકુળ થઈ ફરે;
તલસે તમને, મળવા માગે,
જન તે ધન્ય ખરે ... જે તમને.

પારસ પ્રાપ્ત થવાથી દળદર
કૈં જન્મોનું ટળે;
તમે મળો તો માનવમનના
હેતુ બધાય સરે ... જે તમને.

શરણ તમારે આવી કોઈ
રિક્ત હાથ ના ફરે;
‘પાગલ’ કે’ મહિમા એ મોટો,
વ્યર્થ કદી ન ઠરે ! ... જે તમને.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit