राम लक्ष्मण को अयोध्या में रहने के लिए समझाते है
अस जियँ जानि सुनहु सिख भाई । करहु मातु पितु पद सेवकाई ॥
भवन भरतु रिपुसूदन नाहीं । राउ बृद्ध मम दुखु मन माहीं ॥१॥
मैं बन जाउँ तुम्हहि लेइ साथा । होइ सबहि बिधि अवध अनाथा ॥
गुरु पितु मातु प्रजा परिवारू । सब कहुँ परइ दुसह दुख भारू ॥२॥
रहहु करहु सब कर परितोषू । नतरु तात होइहि बड़ दोषू ॥
जासु राज प्रिय प्रजा दुखारी । सो नृपु अवसि नरक अधिकारी ॥३॥
रहहु तात असि नीति बिचारी । सुनत लखनु भए ब्याकुल भारी ॥
सिअरें बचन सूखि गए कैंसें । परसत तुहिन तामरसु जैसें ॥४॥
(दोहा)
उतरु न आवत प्रेम बस गहे चरन अकुलाइ ।
नाथ दासु मैं स्वामि तुम्ह तजहु त काह बसाइ ॥ ७१ ॥
*
MP3 Audio
*
રામ લક્ષ્મણને અયોધ્યા રહેવા સમજાવે છે
એવું સમજી સુણો શીખ ભાઇ, કરો પિતૃચરણસેવા કાંઇ;
નથી ભરત-શત્રુઘ્ન બે ઘેર, વૃદ્ધ રાયના કાળજે કેર.
વનમાં જઇએ જો આપણે સાથ થાય અવધ તો પૂર્ણ અનાથ;
ગુરુ પિતૃ પ્રજા પરિવાર સૌને આવે દુસહ દુઃખભાર.
રહો અર્પો સૌને પરિતોષ, નહિ તો લાગશે ત્યાગથી દોષ;
પ્રજા જેની વેઠે વ્યથા ભારી બને નૃપ તે નરક અધિકારી.
રહો ઘેર એ નીતિ વિચારી; સુણી વ્યથિત લક્ષ્મણ થયા ભારી ;
હિમસ્પર્શે કમળ થાય મ્લાન તેમ મ્લાન થયા સુણી વાણ.
(દોહરો)
વદી ન શકાયું સ્નેહવશ, પકડી ચરણ કહ્યું,
સેવક હું સ્વામી તમે, ત્યાગો તો શું કરું ?