श्रीराम लक्ष्मण को धीरज रखने के लिए कहते है
जगु भय मगन गगन भइ बानी । लखन बाहुबलु बिपुल बखानी ॥
तात प्रताप प्रभाउ तुम्हारा । को कहि सकइ को जाननिहारा ॥१॥
अनुचित उचित काजु किछु होऊ । समुझि करिअ भल कह सबु कोऊ ॥
सहसा करि पाछैं पछिताहीं । कहहिं बेद बुध ते बुध नाहीं ॥२॥
सुनि सुर बचन लखन सकुचाने । राम सीयँ सादर सनमाने ॥
कही तात तुम्ह नीति सुहाई । सब तें कठिन राजमदु भाई ॥३॥
जो अचवँत नृप मातहिं तेई । नाहिन साधुसभा जेहिं सेई ॥
सुनहु लखन भल भरत सरीसा । बिधि प्रपंच महँ सुना न दीसा ॥४॥
(दोहा)
भरतहि होइ न राजमदु बिधि हरि हर पद पाइ ।
कबहुँ कि काँजी सीकरनि छीरसिंधु बिनसाइ ॥ २३१ ॥
*
MP3 Audio
*
શ્રીરામ લક્ષ્મણને શાંત પાડે છે
(દોહરો)
ભયમાં ડૂબ્યું જગ, થઇ ત્યાં તો નભવાણી,
લક્ષ્મણ, પ્રભાવને પરમ કોણ શકે જાણી ?
પરંતુ યોગ્યાયોગ્યનો વિચાર કરતાં થાય
સંસારમહીં કર્મ તે શુભ સર્વત્ર ગણાય.
વિચાર્યા વિના જે કરી પાછળથી પસ્તાય
સમજદાર તે વેદમાં વિદ્વાને ન મનાય.
દૈવી વાણીને સુણી લક્ષ્મણ શાંત થયા
રામે ત્યારે નીતિનાં વચનો સરસ કહ્યાં.
કઠિન રાજમદ, સાધુની સભા નથી સેવી
તે રાજાની બુદ્ધિને કરે ભ્રમિત જેવી.
ઉત્તમ પુરુષ ભરતસમા નિહાળ્યા સુણ્યા ના
બ્રહ્માની સૃષ્ટિમહીં કયાંય ખરે મેં આ.
વિધિ હરિહરપદ પામતાં પ્રમત્ત ભરત ન થાય,
કાંજી બિંદુથકી તૂટી ક્ષીરસમુદ્ર ન જાય.