if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरत वन में और लक्ष्मण अयोध्या में – जनक का सुझाव
 
अगम सबहि बरनत बरबरनी । जिमि जलहीन मीन गमु धरनी ॥
भरत अमित महिमा सुनु रानी । जानहिं रामु न सकहिं बखानी ॥१॥
 
बरनि सप्रेम भरत अनुभाऊ । तिय जिय की रुचि लखि कह राऊ ॥
बहुरहिं लखनु भरतु बन जाहीं । सब कर भल सब के मन माहीं ॥२॥
 
देबि परंतु भरत रघुबर की । प्रीति प्रतीति जाइ नहिं तरकी ॥
भरतु अवधि सनेह ममता की । जद्यपि रामु सीम समता की ॥३॥
 
परमारथ स्वारथ सुख सारे । भरत न सपनेहुँ मनहुँ निहारे ॥
साधन सिद्ध राम पग नेहू । मोहि लखि परत भरत मत एहू ॥४॥
 
(दोहा)    
भोरेहुँ भरत न पेलिहहिं मनसहुँ राम रजाइ ।
करिअ न सोचु सनेह बस कहेउ भूप बिलखाइ ॥ २८९ ॥
 
ભરત વનમાં અને લક્ષ્મણ અયોધ્યામાં - જનકનું સૂચન
 
(દોહરો)
મીન ધરા પર જળ વિના ચાલી ન શકે જેમ,
ભરતચરિત ના વર્ણવી શકાય સૌથી તેમ.
 
મહિમા અમાપ ભરતનો ફક્ત રામ જાણે,
પરંતુ એ પણ વર્ણવી શકે નહીં વાણે.
 
ભૂપે સપ્રેમ વર્ણવી દૈવી ભરતપ્રભાવ
પત્નીની રુચિ જાણતાં જાણી વળી સ્વભાવ
 
કહ્યું, ફરે લક્ષ્મણ ગૃહે, ભરત વિપિનમાં જાય;
એમાં સૌનું શુભ રહ્યું, એ સૌના મનમાંહ્ય.
 
રામ-ભરતની પ્રીતિ ને શ્રદ્ધા તર્કાતીત;
સમતાસીમા રામ છે, મમતા પ્રેમ પવિત્ર,
 
અવધિ એમની ભરત છે; સ્વાર્થ અને પરમાર્થ
સ્વપ્ને પણ જોયું નથી સુખ પ્રતિ કદી લગાર.
 
મનથી પણ પ્રિય જાત ના રામથકી જાણી,
રામચરણમાં સાધના સિદ્ધિને માની.
 
ભરતતણો આદર્શ એ મુજને શ્રેષ્ઠ જણાય;
ભાવવિભોર બની વદ્યા પ્રેમે ગદગદ રાય.
 
ભરત રામનો પાળશે સદાકાજ આદેશ,
માટે કરવી ના ઘટે ચિંતા સ્નેહે લેશ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.