ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥४-११॥
ye yatha mam prapadyante tan tatha eva bhajami aham
mam vartm anuvartante manushayah partha sarvashah
જેવા ભાવથકી મને ભક્ત ભજે મારા,
તેવા ભાવે હું ભજું તે સૌને પ્યારા
સર્વ પ્રકારે માનવી મુજ માર્ગે ચાલે,
મંગલ તેનું થાય જે મુજ માર્ગે ચાલે.
*
काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः ।
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥४-१२॥
Kankshantaha karmanam siddhim yajant iha devatah
kshipram hi manuse loke siddhirbhavati karmaja
બીજા દેવોને ભજે પ્રેમ કરીને જે,
સાચે સિધ્ધિ પામતા પૂજી તેમને તે.
*
MP3 Audio
*
चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः ।
तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥४-१३॥
chaturvarnyam maya shristam gunakarma vibhagashah
tasya kartaram api mama viddhi akartarma avyayam
ચાર વર્ણ મેં સર્જીયા ગુણને કર્મે માન,
તેનો કર્તા હું છતાં, અકર્તા મને જાણ.
*
न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा ।
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ॥४-१४॥
na mam karmani limpanti na me karmaphale spriha
iti mam yoabhijanati karma bhirna sahbadhyate
મને કર્મબંધન નથી, નથી કર્મમમતા
માનવ સમજે એમ તે કર્મથકી છુટતા
*
एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः ।
कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ॥४-१५॥
evam gyatva kritam karma purvaih api mumukshabhih
kuru karma eva tasmat tvam purvaihi purvataram kritam
એવું જાણીને કર્યા પહેલાં કૈંયે કર્મ,
એમ જ કરજે કર્મ તો સચવાશે તુજ ધર્મ.
Meaning
हे अर्जुन, जो जो भक्त जिस प्रकार से मेरा चिंतन करता है, मैं उसे वैसे ही मिलता हूँ । विभिन्न मनुष्य विभिन्न प्रकार से मेरे ही पास आते है । जो कर्मफल मे सफलता की कामना रखते हैं वो देवताओ का पूजन करते हैं क्योंकि इस मनुष्य लोक में एसा करने पर कर्मफल की सिद्धि शीघ्र होती है । ब्राह्मण, क्षत्रिय, वैश्य और शुद्र - ये चारो वर्ण गुण तथा कर्म के आधार पर मेरे द्वारा ही रचे गये है । सृष्टि की रचना तथा अन्य कर्मों का कर्ता होते हुऐ भी तूम मुझे अविनाशी और अकर्ता ही जानो । क्योंकि न तो मुझे कर्म बाँधते हैं और न ही कर्मफल की कोई इच्छा । जो मुझे इस प्रकार जान लेता है, वो कर्म के बंधनो से मुक्त हो जाता है । पहले के जमाने में यह जान कर मुमुक्षु (मोक्ष की इच्छा रखनेवाले) कर्म किया करते थे । तुम भी इसी प्रकार कर्म करो, जैसे तुम्हारे पूर्वज पुरातन काल से करते आये है ।
*
હે અર્જુન, જે ભક્ત મારું જે પ્રમાણે ચિંતન કરે છે તેને હું તેવી રીતે મળું છું. (અર્થાત્ ભક્તની ભાવના પ્રમાણે હું પ્રકટ થાઉં છું.) શ્રેયના જુદા જુદા માર્ગોથી મનુષ્ય મારી પાસે જ આવે છે. આ લોકમાં કર્મફળની કામના રાખનાર દેવોનું પૂજન કરે છે કારણ કે એમ કરવાથી કર્મફળની સિદ્ધિ શીઘ્ર થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - એ ચાર વર્ણોની રચના કર્મ તથા ગુણના આધાર પર મેં જ કરેલી છે. એ કર્મોનો હું જ કર્તા છું છતાં મને તું અકર્તા જાણ. કારણ કે એ કર્મો મને બાધ્ય કરતા નથી. કેમ કે મને કર્મફળની કોઈ ઈચ્છા નથી. જે મારા રહસ્યને આ પ્રકારે જાણી લે છે તે કર્મના બંધનોથી મુક્ત થઈ જાય છે. પહેલાંના સમયમાં મુમુક્ષુઓ આ પ્રમાણે કર્મ કરતા હતા. એથી હે અર્જુન, તું પણ એમની માફક કર્મનું અનુષ્ઠાન કર.