Download details |
Parikshit (પરીક્ષિત) | ||||||||||||||||||||||||||
શ્રી યોગેશ્વરજીની કલમે પરીક્ષિતના ઐતિહાસિક પાત્ર પર ગુંથાયેલ નવલકથા મહાભારતમાં પણ શાપનો પ્રસંગ સંક્ષેપમાં વર્ણવવામાં આવ્યો છે, પરંતુ એ પછીની સમગ્ર કથા ભાગવતની કથાથી જુદી પડે છે. એમાં નથી શુકદેવનો સમાગમ કે નથી કથાનું શ્રવણમંગલ શ્રવણ. આ નવલકથામાં મુખ્ય આધાર ભાગવતનો લેવામાં આવેલો છે, અને પરીક્ષિતના મૃત્યુ પછી જનમેજય પ્રતિશોધની વૃત્તિથી પ્રેરાઈને નાગજાતિનું નિકંદન કાઢવા માટે જે યજ્ઞ કરે છે તેનું ચિત્રણ પણ, થોડાક આવશ્યક ફેરફાર સાથે, ભાગવતના દ્વાદશ સ્કંધના છઠ્ઠા અધ્યાયને અનુસરીને કરવામાં આવ્યું છે. કથાને રસમય અને નૂતન બનાવવા ઉર્વશીના પાત્રની મૌલિક રચના કરવામાં આવી છે. આ કથા પુરાતન હોવા છતાં એનો સંદેશ સનાતન છે - પૃથ્વી પ્રતિશોધથી નહિ પણ પ્રેમથી ટકે છે ને જીવવા જેવી બને છે. |
|