ઈ.સ. ૧૯૭૭ માં ઈંગ્લેન્ડના પ્રવચન પ્રવાસથી પ્રારંભ કરીને શ્રી યોગેશ્વરજીએ માતાજી જ્યોતિર્મયી સાથે બે અને મા સર્વેશ્વરી સાથે ત્રણ-એમ કુલ પાંચ વિદેશયાત્રાઓ કરી અને ઈંગ્લેન્ડ ઉપરાંત અમેરિકા, કેનેડા, દક્ષિણ આફ્રિકા, ઝામ્બીયા તથા મોરિશિયસમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો. યોગેશ્વરજી કોઈ સંપ્રદાય કે વાડાઓમાં માનતા ન હોવાથી દરેક પંથ-સંપ્રદાયના સ્થળો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તરફથી તેમના જાહેર પ્રવચનો અને ધ્યાનના વર્ગો યોજાયા, જેમાં બહોળા સમુદાયે લાભ લીધો. પ્રસ્તુત પુસ્તકમાં યોગેશ્વરજીએ તેમની વિદેશયાત્રાઓ વિશે વિસ્તૃત વિવરણ કર્યું છે. કયા સંજોગોમાં પ્રથમ વાર વિદેશ જવાનું થયું, લોકોનો કેવો સહયોગ સાંપડ્યો, સાધકો તેમજ જિજ્ઞાસુઓએ કેવા પ્રશ્નો પૂછ્યા, કયા વિષયો પર પ્રવચનો યોજાયા, ત્યાંના અખબાર અને રેડિયો તેમજ ટીવી સ્ટેશનો પરથી તેમની મુલાકાતો કેવી રીતે રજૂ થઈ, વિવિધ સંસ્થાઓ અને તેમની પ્રવૃત્તિઓ વિશે પ્રકાશ પાડ્યો છે. અધ્યાત્મરસિક વાચકો અને યોગેશ્વરજીના ચાહકોને આ પુસ્તકમાંથી ઘણું જાણવાનું મળશે. વાચકોની જાણ માટે પુસ્તકની print edition માં તેમની વિદેશયાત્રાની વિવિધ તસવીરોનો સમાવેશ કરવામાં આવેલો છે. E-Book Title : Samandar Ne Pele Paar Language : Gujarati Version : 1.0 Pages : 320 Created : December 01st, 2014. | | |