Download details |
Uttarpath-2 (ઉત્તરપથ-૨) | ||||||||||||||||||||||||||
Uttarpath - 2 મહાભારતનો મૂળ ગ્રંથ આમ તો ઘણો મોટો અને અસંખ્ય આનુષંગિક આખ્યાનો તેમ જ ઉપાખ્યાનોથી ભરેલો છે. એમાં ધર્મના, નીતિના તથા બીજા ઉપદેશો પણ અનેક છે. પ્રસ્તુત ઐતિહાસિક નવલકથામાં કૌરવો તથા પાંડવો સાથે સંબંધ ધરાવતા મુખ્ય પ્રસંગોનું વર્ણન છે. જો કે એમાં દ્રૌપદીને પાંચ પાંડવોની પત્ની તરીકે ચીતરવાને બદલે એકલા અર્જુનની જ પત્ની તરીકે વર્ણવેલી છે. શ્રી યોગેશ્વરજીની સિદ્ધ કલમે મહાભારતના વિશાળ વાંગમયને પૂર્વાધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગમાં વહેંચીને પ્રસ્તુત કરેલ છે. પ્રસ્તુત પુસ્તક ઉત્તરાર્ધ છે. એમાં પાંડવોનો બાર વરસનો વનવાસ, અજ્ઞાતવાસનું તેરમું વરસ, મહાભારતના યુદ્ધની ભૂમિકા, મહાભારતનું મહાભયંકર યુદ્ધ, કૌરવોનો વિનાશ, પાંડવોને રાજગાદી અને એમના મહાપ્રસ્થાન સુધીના પ્રસંગોની રજૂઆત કરવામાં આવી છે. ભારતના ભૂતકાલીન અમર સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવનારી આ નવલકથાનું અધ્યયન આપણી વર્તમાન અને ભવિષ્યની પેઢીને લાભદાયક થશે. E-book |
|