Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે
હરિજન નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે ... વૈષ્ણવ

હરિજન જોઇ હૈયું નવ હરખે, દ્રવે ન હરિગુણ ગાતાં,
કામ ધામ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતાં ... વૈષ્ણવ

તુજ સંગે કોઇ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો ... વૈષ્ણવ

પરદુઃખ દેખી હૃદે ન દાઝે, પરનિંદા નથી ડરતો,
વ્હાલ નથી વિઠ્ઠલશું સાચું, હઠે ન હું હું કરતો ... વૈષ્ણવ

પરોપકારે પ્રીત ન તુજને, સ્વાર્થ છુટ્યો છે નહિ,
કહેણી તેવી રહેણી ન મળે, ક્યાં લખ્યું એમ કહેણી ... વૈષ્ણવ

ભજવાની રુચિ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,
જગત તણી આશા છે જ્યાં લગી, જગત ગુરુ, તું દાસ ... વૈષ્ણવ

મન તણો ગુરૂ મન કરશે તો, સાચી વસ્તુ જડશે,
'દયા' દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે ... વૈષ્ણવ

- દયારામ

 

Add comment

Submit