મરી જાવું માયાને મેલી રે,
મરી જાવું માયાને મેલી.
કોઈ બનાવે બાગબગીચા,
કોઈ બનાવે હવેલી,
ધાઈ-ધૂતી ધન ભેળું કરે કોઈ,
પાંચ-પચ્ચીસની થેલી રે ... મરી જાવું.
કેસરવર્ણી કાય સુંદર,
માંહી ઊગી વિષવેલી,
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
પાળ બાંધ પાણી પહેલી રે ... મરી જાવું.
- મીરાંબાઈ