ततो यदुत्तरततं तदरूपमनामयम् ।
य एतद्विदुरमृतास्ते भवन्ति अथेतरे दुःखमेवापियन्ति ॥१०॥
tato yaduttaratatam tadarupamanamayam ।
ya etadviduramrtaste bhavanti athetare duhkhamevapiyanti ॥ 10॥
હિરણ્યગર્ભથકી તે ઉત્તમ, રૂપ-વિકારથકી પર છે,
તેને જાણે અમર બને તે, અન્ય લોક દુઃખમાં જ પડે. ॥૧૦॥
અર્થઃ
તતઃ - પ્રથમ જણાવેલા હિરણ્યગર્ભથી
યત્ - જે
ઉત્તરતરમ્ - અતિશય ઉત્તમ છે.
તત્ - તે પરમાત્મા
અરૂપમ્ - રૂપરહિત
અનામયમ્ - દોષરહિત છે.
યે - જે
એતત્ - એમને
વિદુઃ - જાણે છે.
તે - એ
અમૃતાઃ - અમર
ભવન્તિ - બને છે.
અથ - પરંતુ
ઇતરે - બીજા માનવો
દુઃખમ્ - દુઃખને
એવ - જ
અપિયન્તિ - પામે છે.
ભાવાર્થઃ
એ પરમાત્મા હિરણ્યગર્ભ અથવા બ્રહ્માના પણ સ્વામી છે. એમનાથી શ્રેષ્ઠ છે. એમનું કોઇ વિશિષ્ટ નિશ્ચિત રૂપ નથી. એ રૂપરંગથી રહિત છે. દોષરહિત અથવા વિશુદ્ધ છે. એમને જાણનાર કે પામનાર દોષમુક્ત તથા બંધનરહિત બની જાય છે. સુખનો સ્વામી થાય છે. પરંતુ એમને ના જાણનાર અને એમનાથી દૂર રહીને પ્રકૃતિના રૂપરંગોની પ્રીતિ કરનાર અથવા અનાત્મ પદાર્થોની આસક્તિ રાખનાર દુઃખી થાય છે, અશાંતિ ભોગવે છે, ને બદ્ધ બને છે.