यो योनिं योनिमधितिष्ठत्येको यस्मिन्निदाम् सं च विचैति सर्वम् ।
तमीशानं वरदं देवमीड्यं निचाय्येमां शान्तिमत्यन्तमेति ॥११॥
yo yonim yonimadhitisthatyeko
yasminnidam sam cha vichaiti sarvam ।
tamisanam varadam devamidyam
nichhayyemam santimatyantameti ॥ 11॥
સર્વ યોનિના સ્વામી પ્રભુ છે, પ્રભુમાં સૃષ્ટિ વિલીન બને,
પ્રકટ તેમનાથી થાયે, તે સર્વનિયંતા પરમ ખરે;
વરદાયક ને સ્તુત્ય તેમને જે તત્વથકી જાણે છે,
તે જ સનાતન શાંતિ લભે છે, પરમશાંતિને પામે છે. ॥૧૧॥
અર્થઃ
યઃ - જે
એકઃ - એક જ
યોનિમ્ યોનિમ્ અધિતિષ્ઠતિ - પ્રત્યેક યોનિના અધિષ્ઠાતા છે.
યસ્મિન્ - જેમનામાં
ઇદમ્ - આ
સર્વમ્ - સર્વ કાંઇ
સમેતિ - વિલીન થાય છે.
ચ - અને
વ્યેતિ ચ - વિવિધરૂપે વ્યક્ત બને છે.
તમ્ - તે
ઇશાનમ્ - સર્વનિયંતા
વરદમ્ - વરદાયક
ઇડ્યમ્ - સ્તવન કરવા યોગ્ય
દેવમ્ - પરમાત્માને
નિચાય્ય - તત્વથી જાણીને
અત્યન્તમ્ - અનંત અથવા સનાતન
ઇમામ્ - આ
શાન્તિમ્ - શાંતિને
એતિ - પામી લે છે.
ભાવાર્થઃ
માનવને સનાતન શાંતિ કેવી રીતે મળી શકે ? પરમાત્માને જાણી લેવાથી જ. એના સિવાય શાંતિ પ્રાપ્તિનો બીજો કોઇ માર્ગ નથી. એ અભિપ્રાયને ઉપનિષદ ફરીવાર અહીં કહી બતાવે છે. એ પરમાત્મા સઘળી યોનિના - સમસ્ત સૃષ્ટિના મૂળાધાર અથવા મૂળભૂત કારણ છે. સર્વસૂત્રધાર અથવા નિયંતા છે. સમસ્ત સંસાર એમની અંદરથી પ્રાદુર્ભાવ પામે છે અને એમનામાં વિલીન બને છે. એ જ એકમાત્ર સ્તુતિ કરવા યોગ્ય છે. એમના અલૌકિક અનુગ્રહથી જીવ બદ્ધાવસ્થામાંથી છૂટીને મુક્ત બને છે ને સર્વવિધ કલ્યાણ કરે છે.