सूक्ष्मातिसूक्ष्मं कलिलस्य मध्ये विश्वस्य स्रष्ठारमनेकरूपम् ।
विश्वस्यैकं परिवेष्टितारं ज्ञात्वा शिवं शान्तिमत्यन्तमेति ॥१४॥
suksmatisuksmam kalilasya madhye
visvasya srastharamanekarupam ।
visvasyaikam parivestitaram
jnatva sivam santimatyantameti ॥ 14॥
સુક્ષ્મથીય જે સુક્ષ્મ, હૃદયના ગુહ્યસ્થાનમાં વાસ કરે,
વિશ્વ રચી જે તેમાં વ્યાપ્યા, એક છતાં બહુરૂપ ધરે,
તે મંગલમય શાંત બ્રહ્મને જે મનુષ્ય જાણી લે છે,
તે હમેશ ટકનારી એવી પરમશાંતિને પામે છે. ॥૧૪॥
અર્થઃ
સૂક્ષ્માતિસૂક્ષ્મમ્ - (જે) સૂક્ષ્મથી પણ અતિશય સૂક્ષ્મ
કલિલસ્ય મધ્યે - હૃદયગુફા રૂપી ગૂઢ પ્રદેશમાં રહેનાર
વિશ્વસ્ય - વિશ્વની
સ્ત્રષ્ટારમ્ - રચના કરવાવાળા
અનેકરૂપમ્ - અનેક રૂપવાળા
વિશ્વસ્ય પરિવેષ્ટતારમ્ - સંસારને સર્વ તરફથી વીંટી વળનારા
એકમ્ - એક
શિવમ્ - કલ્યાણમય પરમાત્માને
જ્ઞાત્વા - જાણીને
અત્યન્તમ્ - સનાતન
શાંતિમ્ - શાંતિને
એતિ - પામે છે.
ભાવાર્થઃ
પરમાત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. વિશ્વના રચયિતા છે, અસંખ્ય નામ તથા રૂપવાળા, વિશ્વની અંદર બહાર બધે જ વ્યાપક, હૃદયપ્રદેશમાં વિરાજમાન, એક અથવા અનન્ય અને પરમ કલ્યાણસ્વરૂપ છે. એમના સાક્ષાત્કારથી જ સનાતન શાંતિની પ્રાપ્તિ થાય છે.