પ્રશ્ન : જીવનના સુધારનું પ્રમુખ પરિબળ કયું કહેવાય ?
ઉત્તર : માનવનું પોતાનું મન. મન માનવના જીવનના સુધારમાં મહત્વનો મહામૂલ્યવાન ભાગ ભજવે છે. એની મદદ મેળવીને માનવ ઉત્તરોત્તર આગળ વધી શકે છે. અને જીવનના ઉચ્ચોચ્ચ આધ્યાત્મિક વિકાસશિખર પર આરૂઢ થાય છે. મન જો ઉત્તમ પ્રકારના વિચારો અને ભાવોથી ભરપૂર, મક્કમ તથા મજબૂત હોય તો જીવનના સુધાર અને વિકાસની દિશામાં ચમત્કારોનું સર્જન કરે છે. એથી ઉલટું, જો મન વિકૃત વિચારો, ભાવો અને સંકલ્પોથી સંપન્ન બને તેમજ ચંચળ અને નિર્બળ થાય તો જીવનમાં વિકૃતિ લાગે છે, અને જીવનવિકાસની દિશામાં સાધક બનવાને બદલે બાધક બને છે.
પ્રશ્ન : જીવનના સુધારનાં બીજાં પરિબળોનો ઉલ્લેખ કરી શકશો ?
ઉત્તર : જીવનના વિકાસનાં બીજાં બાહ્ય અથવા સર્વસામાન્ય પરિબળોમાં માનવનું પોતાનું વ્યક્તિગત ગૃહજીવન, એની આજુબાજુનું વાતાવરણ, એની સામાજિક અથવા આર્થિક પરિસ્થિતિ અને એના જન્મજાત વારસાગત સંસ્કારોનો સમાવેશ થાય છે. એ પરિબળોનો પ્રભાવ એના જીવનના સુધાર તથા વિકાસ પર પડતો હોય છે. એ પરિબળો એમની અધિક અથવા અલ્પ અસર મૂકી જાય છે ખરાં, પરંતુ મહત્વની અસર તો મનની જ થતી હોય છે. મનનો પ્રભાવ સૌથી વધારે પડે છે. એટલા માટે જ મનને જીવનની શાંતિ અને અશાંતિનું, સ્થિરતા અને અસ્થિરતાનું, પ્રસન્નતા અને અપ્રસન્નતાનું, સુખાકારી અને દુઃખનું, મુક્તિ અને બદ્ધાવસ્થાનું, પૂર્ણતા અને અપૂર્ણતાનું કારણ કહ્યું છે. મન જો અનુકૂળ હોય તો બધું જ અનુકૂળ થાય છે અને પ્રતિકૂળ હોય તો સઘળું પ્રતિકૂળ બને છે.
પ્રશ્ન : મનને ઉદાત્ત બનાવવાના કલ્યાણકાર્યમાં ધ્યાનથી મદદ મળી શકે ?
ઉત્તર : મળી શકે. મનને ઉદાત્ત કરવાના કલ્યાણકાર્યમાં ધ્યાન અને જ્ઞાન બંનેની મદદ મળી શકે. મનની સુધારણાને માટે બંને ઉપયોગી હોવાથી એ બંનેનો આધાર લેવામાં કશું ખોટું નથી. એ ઉભયનો આધાર લેવાનું આવશ્યક છે.
પ્રશ્ન : તમને એવું લાગે છે કે મન મજબૂત હશે તો એની ઉપર તનની અવસ્થાની કે બાહ્ય પરિસ્થિતિની અસર નહિ થાય ?
ઉત્તર : અસર છેક જ નહિ થાય એવું તો કેવી રીતે કહી શકાય ? અસર થશે તો ખરી જ પરંતુ એની માત્રા ધાર્યા કરતાં ઘણી મંદ હશે. અને એની શુભાશુભ પ્રતિક્રિયાને સહન કરવાની શક્તિથી સંપન્ન બનાશે. એ અસર કોઈ પ્રકારનું પ્રતિકૂળ પરિણામ પેદા નહિ કરે.
પ્રશ્ન : તો પછી અત્યારે જીવનના સુધારના જે વ્યક્તિગત અને સમષ્ટિગત પ્રયત્નો થઈ રહ્યા છે તે પ્રયત્નોની સાથે સાથે મનની સુધારણા ને સમુદ્ધારનો પ્રયત્ન પણ કરાવવો જોઈએ ?
ઉત્તર : અવશ્ય કરાવવો જોઈએ. એવો પ્રયત્ન અનિવાર્ય લેખાવો જોઈએ. એ પ્રયત્ન સિવાય વિકાસના બીજા વ્યક્તિગત અને સમષ્ટિગત પ્રયત્નો સફળ નહિ થઈ શકે ને સંપૂર્ણ નહિ બની શકે.
ઉત્તર : માનવનું પોતાનું મન. મન માનવના જીવનના સુધારમાં મહત્વનો મહામૂલ્યવાન ભાગ ભજવે છે. એની મદદ મેળવીને માનવ ઉત્તરોત્તર આગળ વધી શકે છે. અને જીવનના ઉચ્ચોચ્ચ આધ્યાત્મિક વિકાસશિખર પર આરૂઢ થાય છે. મન જો ઉત્તમ પ્રકારના વિચારો અને ભાવોથી ભરપૂર, મક્કમ તથા મજબૂત હોય તો જીવનના સુધાર અને વિકાસની દિશામાં ચમત્કારોનું સર્જન કરે છે. એથી ઉલટું, જો મન વિકૃત વિચારો, ભાવો અને સંકલ્પોથી સંપન્ન બને તેમજ ચંચળ અને નિર્બળ થાય તો જીવનમાં વિકૃતિ લાગે છે, અને જીવનવિકાસની દિશામાં સાધક બનવાને બદલે બાધક બને છે.
પ્રશ્ન : જીવનના સુધારનાં બીજાં પરિબળોનો ઉલ્લેખ કરી શકશો ?
ઉત્તર : જીવનના વિકાસનાં બીજાં બાહ્ય અથવા સર્વસામાન્ય પરિબળોમાં માનવનું પોતાનું વ્યક્તિગત ગૃહજીવન, એની આજુબાજુનું વાતાવરણ, એની સામાજિક અથવા આર્થિક પરિસ્થિતિ અને એના જન્મજાત વારસાગત સંસ્કારોનો સમાવેશ થાય છે. એ પરિબળોનો પ્રભાવ એના જીવનના સુધાર તથા વિકાસ પર પડતો હોય છે. એ પરિબળો એમની અધિક અથવા અલ્પ અસર મૂકી જાય છે ખરાં, પરંતુ મહત્વની અસર તો મનની જ થતી હોય છે. મનનો પ્રભાવ સૌથી વધારે પડે છે. એટલા માટે જ મનને જીવનની શાંતિ અને અશાંતિનું, સ્થિરતા અને અસ્થિરતાનું, પ્રસન્નતા અને અપ્રસન્નતાનું, સુખાકારી અને દુઃખનું, મુક્તિ અને બદ્ધાવસ્થાનું, પૂર્ણતા અને અપૂર્ણતાનું કારણ કહ્યું છે. મન જો અનુકૂળ હોય તો બધું જ અનુકૂળ થાય છે અને પ્રતિકૂળ હોય તો સઘળું પ્રતિકૂળ બને છે.
પ્રશ્ન : મનને ઉદાત્ત બનાવવાના કલ્યાણકાર્યમાં ધ્યાનથી મદદ મળી શકે ?
ઉત્તર : મળી શકે. મનને ઉદાત્ત કરવાના કલ્યાણકાર્યમાં ધ્યાન અને જ્ઞાન બંનેની મદદ મળી શકે. મનની સુધારણાને માટે બંને ઉપયોગી હોવાથી એ બંનેનો આધાર લેવામાં કશું ખોટું નથી. એ ઉભયનો આધાર લેવાનું આવશ્યક છે.
પ્રશ્ન : તમને એવું લાગે છે કે મન મજબૂત હશે તો એની ઉપર તનની અવસ્થાની કે બાહ્ય પરિસ્થિતિની અસર નહિ થાય ?
ઉત્તર : અસર છેક જ નહિ થાય એવું તો કેવી રીતે કહી શકાય ? અસર થશે તો ખરી જ પરંતુ એની માત્રા ધાર્યા કરતાં ઘણી મંદ હશે. અને એની શુભાશુભ પ્રતિક્રિયાને સહન કરવાની શક્તિથી સંપન્ન બનાશે. એ અસર કોઈ પ્રકારનું પ્રતિકૂળ પરિણામ પેદા નહિ કરે.
પ્રશ્ન : તો પછી અત્યારે જીવનના સુધારના જે વ્યક્તિગત અને સમષ્ટિગત પ્રયત્નો થઈ રહ્યા છે તે પ્રયત્નોની સાથે સાથે મનની સુધારણા ને સમુદ્ધારનો પ્રયત્ન પણ કરાવવો જોઈએ ?
ઉત્તર : અવશ્ય કરાવવો જોઈએ. એવો પ્રયત્ન અનિવાર્ય લેખાવો જોઈએ. એ પ્રયત્ન સિવાય વિકાસના બીજા વ્યક્તિગત અને સમષ્ટિગત પ્રયત્નો સફળ નહિ થઈ શકે ને સંપૂર્ણ નહિ બની શકે.