પ્રશ્ન : આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં પ્રગતિ થવાની સાથે નાનીમોટી જુદી જુદી શક્તિઓ કે સિદ્ધિઓ સાંપડે છે ખરી ?
ઉત્તર : આધ્યાત્મિક પ્રગતિ થવાની સાથે જુદી જુદી શક્તિઓ કે સિદ્ધિઓ સાંપડે છે, પરંતુ એ બાબત કોઈ નિશ્ચિત નિયમ અથવા અભિપ્રાય નથી બાંધી શકાતો. શક્તિઓ કે સિદ્ધિઓ કોઈ વાર સાંપડે છે તો કોઈ વાર નથી પણ સાંપડતી. આધ્યાત્મિક ઉન્નતિનું મુખ્ય અને અંતિમ ધ્યેય શક્તિઓને કે સિદ્ધિઓને મેળવવાનું નથી હોતું પરંતુ સર્વશક્તિમાન પરમાત્માની અનુભૂતિ કરવાનું હોય છે. એટલે શક્તિઓની કે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય તો પણ સાધકે એમને મેળવીને અટકી જવાનું નથી, પરંતુ પરમાત્માના સાક્ષાત્કારની દિશામાં આગળ વધવાનું છે.
પ્રશ્ન : શક્તિઓ બીજાને ઉપયોગી થઈ શકે ?
ઉત્તર : એનો આધાર જેને શક્તિઓ સાંપડે છે તેના પર રહેતો હોય છે. બીજાને ઉપયોગી થવાની દૃષ્ટિ હોય તો માનવ ઉપયોગી થઈ શકે છે. ઉપયોગી થવાની દૃષ્ટિ ના હોય તો શક્તિ હોવા છતાં પણ ઉપયોગી નથી થઈ શકાતું.
પ્રશ્ન : અન્યને ઉપયોગી થવાની દૃષ્ટિ કેળવાય એ આવશ્યક છે ?
ઉત્તર : આવશ્યક છે એટલું જ નહિ, પરંતુ આવકારદાયક છે. જે જીવન પોતાની સાથે બીજાને માટે પણ જીવાય છે તેનું મૂલ્ય વધારે છે. એ આશીર્વાદરૂપ થાય છે. એવા જીવનને જીવવાની દૃષ્ટિ વધે તે સૌના લાભમાં છે. સમાજના સર્વાંગીણ અભ્યુત્થાનને માટે એવી દૃષ્ટિ ઉપયોગી છે.
પ્રશ્ન : જીવનને આદર્શ બનાવવા માટે શાની આવશ્યકતા છે - દૃષ્ટિની, શક્તિની કે ભક્તિની ?
ઉત્તર : એ ત્રણેના સુભગ સંગમની આવશ્યકતા છે. એ ત્રણેનો સુભગ સંગમ અથવા સમન્વય કરવામાં આવે એ ઈચ્છવાયોગ છે. એવા સમન્વયથી વ્યક્તિ તથા સમષ્ટિને મોટી મદદ મળશે. સૌનું શ્રેય સધાશે. એ ત્રણે પોતપોતાની રીતે ઉપયોગી હોવાથી એમનામાંથી એકેનો અનાદર નથી કરવા જેવો.
પ્રશ્ન : ભારતમાં સેવાભાવનાની, સેવાવૃત્તિ તથા પ્રવૃત્તિની વધારે ને વધારે આવશ્યકતા છે એવું નથી લાગતું ?
ઉત્તર : ભારતમાં સેવાભાવનાની, સેવાવૃત્તિ તથા પ્રવૃત્તિની વધારે ને વધારે આવશ્યકતા છે એ તો સાચું જ છે, પરંતુ શુદ્ધિની પણ એટલી જ બલ્કે એથી પણ વધારે આવશ્યકતા છે. વિચાર, આચાર, આહારની શુદ્ધિનું મહત્વ ધાર્યા કરતાં ઘણું મોટું છે. શુદ્ધિ સિવાયની સેવાભાવના, સેવાવૃત્તિ કે પ્રવૃત્તિ, માનવને પ્રલોભનોનો શિકાર બનાવી, ભયસ્થાનોમાં ભરમાવી, કુમાર્ગગામી કરી દે છે. દેશની ઘટનાઓનું નિરીક્ષણ કરવાથી એ હકીકત સુચારુરૂપે સંપૂર્ણ સ્પષ્ટતાપૂર્વક સમજી શકાય છે. સેવાવૃત્તિ તથા પ્રવૃત્તિની સાથે શુદ્ધિનું પ્રેરક પીઠબળ હોય છે તો તે સર્વસ્થળે, સઘળા સંજોગોમાં, સર્વ પ્રકારે માનવોનું મંગલ કરે છે, અને જે સમાજમાં એ શ્વાસ લે છે તે સમાજનું પણ શ્રેય સાધે છે. સમાજમાં સુંદર સાનુકૂળ આદર્શ વાતાવરણનું નિર્માણ થાય છે.
મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમ્યાન શુદ્ધિ તથા સેવાનો સમન્વય કરી બતાવેલો અને એવો સમન્વય સંપૂર્ણપણે શક્ય છે એવું દર્શાવીને જણાવેલું કે વ્યક્તિએ જાહેર સેવાના ક્ષેત્રમાં જીવનની વિશુદ્ધિને વધારનારાં ને વિસ્તારનારાં માનવ મૂલ્યોને કે શુદ્ધિના પરીબળોને વળગી રહેવું જોઈએ. એના સિવાય સમાજ કે રાષ્ટ્રનું અભ્યુત્થાન તથા પરિત્રાણ નહીં થઈ શકે. એ શબ્દો આજે પણ ઉપયોગી છે. જે શબ્દો સમષ્ટિને માટે ઉપયોગી છે તે વ્યક્તિને માટે પણ એટલા જ અગત્યના છે. એમ કહો કે એથી પણ વધારે અગત્યના છે કેમ કે વ્યક્તિમાંથી જ સમષ્ટિ થાય છે.
ઉત્તર : આધ્યાત્મિક પ્રગતિ થવાની સાથે જુદી જુદી શક્તિઓ કે સિદ્ધિઓ સાંપડે છે, પરંતુ એ બાબત કોઈ નિશ્ચિત નિયમ અથવા અભિપ્રાય નથી બાંધી શકાતો. શક્તિઓ કે સિદ્ધિઓ કોઈ વાર સાંપડે છે તો કોઈ વાર નથી પણ સાંપડતી. આધ્યાત્મિક ઉન્નતિનું મુખ્ય અને અંતિમ ધ્યેય શક્તિઓને કે સિદ્ધિઓને મેળવવાનું નથી હોતું પરંતુ સર્વશક્તિમાન પરમાત્માની અનુભૂતિ કરવાનું હોય છે. એટલે શક્તિઓની કે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય તો પણ સાધકે એમને મેળવીને અટકી જવાનું નથી, પરંતુ પરમાત્માના સાક્ષાત્કારની દિશામાં આગળ વધવાનું છે.
પ્રશ્ન : શક્તિઓ બીજાને ઉપયોગી થઈ શકે ?
ઉત્તર : એનો આધાર જેને શક્તિઓ સાંપડે છે તેના પર રહેતો હોય છે. બીજાને ઉપયોગી થવાની દૃષ્ટિ હોય તો માનવ ઉપયોગી થઈ શકે છે. ઉપયોગી થવાની દૃષ્ટિ ના હોય તો શક્તિ હોવા છતાં પણ ઉપયોગી નથી થઈ શકાતું.
પ્રશ્ન : અન્યને ઉપયોગી થવાની દૃષ્ટિ કેળવાય એ આવશ્યક છે ?
ઉત્તર : આવશ્યક છે એટલું જ નહિ, પરંતુ આવકારદાયક છે. જે જીવન પોતાની સાથે બીજાને માટે પણ જીવાય છે તેનું મૂલ્ય વધારે છે. એ આશીર્વાદરૂપ થાય છે. એવા જીવનને જીવવાની દૃષ્ટિ વધે તે સૌના લાભમાં છે. સમાજના સર્વાંગીણ અભ્યુત્થાનને માટે એવી દૃષ્ટિ ઉપયોગી છે.
પ્રશ્ન : જીવનને આદર્શ બનાવવા માટે શાની આવશ્યકતા છે - દૃષ્ટિની, શક્તિની કે ભક્તિની ?
ઉત્તર : એ ત્રણેના સુભગ સંગમની આવશ્યકતા છે. એ ત્રણેનો સુભગ સંગમ અથવા સમન્વય કરવામાં આવે એ ઈચ્છવાયોગ છે. એવા સમન્વયથી વ્યક્તિ તથા સમષ્ટિને મોટી મદદ મળશે. સૌનું શ્રેય સધાશે. એ ત્રણે પોતપોતાની રીતે ઉપયોગી હોવાથી એમનામાંથી એકેનો અનાદર નથી કરવા જેવો.
પ્રશ્ન : ભારતમાં સેવાભાવનાની, સેવાવૃત્તિ તથા પ્રવૃત્તિની વધારે ને વધારે આવશ્યકતા છે એવું નથી લાગતું ?
ઉત્તર : ભારતમાં સેવાભાવનાની, સેવાવૃત્તિ તથા પ્રવૃત્તિની વધારે ને વધારે આવશ્યકતા છે એ તો સાચું જ છે, પરંતુ શુદ્ધિની પણ એટલી જ બલ્કે એથી પણ વધારે આવશ્યકતા છે. વિચાર, આચાર, આહારની શુદ્ધિનું મહત્વ ધાર્યા કરતાં ઘણું મોટું છે. શુદ્ધિ સિવાયની સેવાભાવના, સેવાવૃત્તિ કે પ્રવૃત્તિ, માનવને પ્રલોભનોનો શિકાર બનાવી, ભયસ્થાનોમાં ભરમાવી, કુમાર્ગગામી કરી દે છે. દેશની ઘટનાઓનું નિરીક્ષણ કરવાથી એ હકીકત સુચારુરૂપે સંપૂર્ણ સ્પષ્ટતાપૂર્વક સમજી શકાય છે. સેવાવૃત્તિ તથા પ્રવૃત્તિની સાથે શુદ્ધિનું પ્રેરક પીઠબળ હોય છે તો તે સર્વસ્થળે, સઘળા સંજોગોમાં, સર્વ પ્રકારે માનવોનું મંગલ કરે છે, અને જે સમાજમાં એ શ્વાસ લે છે તે સમાજનું પણ શ્રેય સાધે છે. સમાજમાં સુંદર સાનુકૂળ આદર્શ વાતાવરણનું નિર્માણ થાય છે.
મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમ્યાન શુદ્ધિ તથા સેવાનો સમન્વય કરી બતાવેલો અને એવો સમન્વય સંપૂર્ણપણે શક્ય છે એવું દર્શાવીને જણાવેલું કે વ્યક્તિએ જાહેર સેવાના ક્ષેત્રમાં જીવનની વિશુદ્ધિને વધારનારાં ને વિસ્તારનારાં માનવ મૂલ્યોને કે શુદ્ધિના પરીબળોને વળગી રહેવું જોઈએ. એના સિવાય સમાજ કે રાષ્ટ્રનું અભ્યુત્થાન તથા પરિત્રાણ નહીં થઈ શકે. એ શબ્દો આજે પણ ઉપયોગી છે. જે શબ્દો સમષ્ટિને માટે ઉપયોગી છે તે વ્યક્તિને માટે પણ એટલા જ અગત્યના છે. એમ કહો કે એથી પણ વધારે અગત્યના છે કેમ કે વ્યક્તિમાંથી જ સમષ્ટિ થાય છે.