સંધિનું સ્વાગત

વ્યોમના વિતાનમાં સંધિસ્વર છૂટે છે
એના પ્રસન્ન પરિણામને પેખો તો ખરા;
પ્રભાતના પ્રથમ પ્રહરની સુખદ સંધિ
પૃથ્વીના પ્રાણ જેવા પ્રકાશપુંજ પ્રભાકરને પ્રકટાવે છે,
અને સંધ્યા સમયની સંધિ
ચારુ ચંદ્રના ચેતનપ્રદાયક પ્રાકટ્ય સાથે
રમણીય રસમયી રાતને લાવે છે;
વ્યોમના વિતાનમાં સંધિસ્વર છૂટે છે
એના પ્રસન્ન પરિણામને પેખો તો ખરા;
એની પ્રતિક્રિયાથી પુલકિત બની જાય છે આ આખીયે ધરા.

સંધિમાં સંપ છે, સંગઠન છે,
સંવાદિતા અને શક્તિ છે,
ભૂતને દફનાવવાની, ભાવિને સાકાર કરવાની શક્યતા છે,
એ સ્વાનુભૂતિનો સારમંત્ર છે
એટલે એનું સદાય સ્વાગત હો !
કિન્તુ એ કેવળ કાગળ પર નહિ,
રક્તમાં, રોમેરોમમાં, કાળજાના કણકણમાં હો,
વિચારસરણી ને વર્તનમાં એનો અલૌકિક અવતાર થાય તો
સમૃદ્ધિ ને સમુન્નતિનો રહી શકે સંશય શો ?
સંધિનું, સ્નેહના અમુલખ અક્ષરનું,
માનવતાના મૂળભૂત મંગલનું,
સદાય સ્વાગત હો !

- શ્રી યોગેશ્વરજી

Today's Quote

God looks at the clean hands, not the full ones.
- Publilius Syrus

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.