મંત્રમુગ્ધ કરનારું સુંદર
રોમરોમમાં રસ ભરનારું
એક ફૂલ આ ગુલાબકેરું.
કોમળ કેવું, અદ્ ભુત અનુપમ,
મૃતને પણ સૌગંધ સમર્પી
નવજીવન ધરનારૂં
એક ફૂલ આ ગુલાબકેરું.
જશે એક દિન તો કરમાઈ
એટલે જ એને અવગણવું ?
ધ્યાન ન એનું અલ્પે ધરવું ?
જશે એક દિવસે કરમાઈ
કિન્તુ આજ આનંદ એહનો
સુગંધનો સૌન્દર્યસ્ત્રોતનો
અનુભવવો આ સ્વાદ, ઘડીનો
ભલે હોય તો પણ; એને તો
આદરથી જ રહ્યું નિહાળવું,
સૂંઘવું છતાં ના ભરમાવું.
વિશ્વ ચેતનાનું પ્રકટેલું
પ્રતીક આ અણમોલ અનેરૂં
સુમન સુકોમળ ગુલાબકેરૂં.
- શ્રી યોગેશ્વરજી