તમે પ્રકટીને શું કીધું ?
અક્ષરમાં આલેખું કેમે કરું ચિત્રઅંકિત,
મંદિરમાં પધરાવું મંગલ સ્વર્ણમૂર્તિમંડિત,
સાંગોપાંગ વર્ણવું ક્યાંથી કોને જીવન દીધું,
આ પૃથ્વી પર પુણ્યલોકથી પ્રકટીને શું કીધું.
રણમાં રસમય કરી અનેરી વનસ્થલીની સૃષ્ટિ,
જેના આશ્રયથી આહલાદે પ્રાણ પામતાં તૃપ્તિ;
કેડી કીધી કરાળ વનમાં પોતે વિષને પીધું
પ્રદાન કરતાં સુધા સર્વને, સુખકર સ્મિતને દીધું.
વરસ્યા વિરલ વાદળી બનતાં આત્માને ઢંઢાળ્યો,
ધરી સૃષ્ટિને શુચિતા સ્નેહે માનવતામલ ધોયો;
મૃત્યુને પણ મધુમય મર્મે અમર બનાવી દીધું,
તમે પ્રકટીને શું કીધું, પ્રકટીને શું ના કીધું ?