પ્રશ્ન : સમાધિની પ્રાપ્તિ માટેનો સૌથી અકસીર માર્ગ કયો ?
ઉત્તર : સૌથી અકસીર અને સરસ માર્ગ ધ્યાનનો છે. ધ્યાનમાં નિયમિત અને લાંબા વખત લગી ઉત્સાહપૂર્વક બેસવાથી છેવટે મનનો લય થાય છે અથવા તો મન છેક જ શાંત થાય છે. એ દશાને સમાધિની દશા કહેવામાં આવે છે. મંત્રજપથી પણ એવી દશાની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ મંત્રજપ કરતાં કરતાં જ્યારે મન બીજું બધું જ ભૂલીને ધ્યાનમાં લીન બનીને પ્રવાહિત બનીને વહેવા માંડે ત્યારે જ એ દશાનો અનુભવ થાય છે. એ દ્રષ્ટિથી વિચાર કરતાં મુખ્ય માર્ગ ધ્યાનનો જ છે એવું કહેવામાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ નથી થતી.
પ્રશ્ન : સમાધિની અવસ્થામાં સાધકને શરીરનું ભાન રહે છે ખરું ?
ઉત્તર : જ્યાં સુધી સાધકને શરીરનું ભાન રહેતું હોય ત્યાં સુધી એણે સમાધિની અવસ્થામાં પ્રવેશ કર્યો છે એવું ન કહેવાય. સમાધિની ઉચ્ચતમ અવસ્થા દરમિયાન શરીરનું ભાન બિલકુલ નથી રહેતું, કાળનું ભાન પણ નથી રહેતું અને આજુબાજુના વાતાવરણનું ભાન પણ નથી રહેતું. મનની વૃત્તિ અથવા તો મન એ બધાથી પર અથવા તો અતીત બની જાય છે. જ્યાં સુધી શરીરનું, કાળનું, અને આજુબાજુના વાતાવરણનું ભાન રહેતું હોય ત્યાં સુધી એ દશાને સમાધિની દશા નહિ પરંતુ ધ્યાનની દશા કહેવાય છે. ધ્યાન ને સમાધિની દશાનો એ ભેદ ધ્યાનમાં રાખો તો સમાધિના રહસ્યને સારી પેઠે સમજી શકશો.
પ્રશ્ન : સમાધિદશામાં ઓછામાં ઓછું કેટલા વખત સુધી રહેવું જોઈએ ?
ઉત્તર : સમાધિદશામાં ઓછામાં ઓછું કે વધારેમાં વધારે કેટલા વખત સુધી રહેવું તેનો કોઈ જ ચોક્કસ નિયમ નથી બાંધી શકાતો. એક વાત ખાસ યાદ રાખવાની છે કે સમાધિ દશામાં કોઈ કેટલા વખત સુધી સ્થિતિ કરે છે તે એટલું મહત્વનું નથી જેટલું મહત્તવનું એ દશામાં શું અનુભવે છે અને એ દશામાંથી જાગ્રત થયા પછી મનનું સ્વરૂપ કેવું રહે છે તે છે. સમાધિની મહત્તા એના સમય પરથી નથી મનાતી, પરંતુ એની ગુણવત્તા પરથી જ અંકાય છે એ કદી ભૂલાવું ન જોઈએ.
ઉત્તર : સૌથી અકસીર અને સરસ માર્ગ ધ્યાનનો છે. ધ્યાનમાં નિયમિત અને લાંબા વખત લગી ઉત્સાહપૂર્વક બેસવાથી છેવટે મનનો લય થાય છે અથવા તો મન છેક જ શાંત થાય છે. એ દશાને સમાધિની દશા કહેવામાં આવે છે. મંત્રજપથી પણ એવી દશાની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ મંત્રજપ કરતાં કરતાં જ્યારે મન બીજું બધું જ ભૂલીને ધ્યાનમાં લીન બનીને પ્રવાહિત બનીને વહેવા માંડે ત્યારે જ એ દશાનો અનુભવ થાય છે. એ દ્રષ્ટિથી વિચાર કરતાં મુખ્ય માર્ગ ધ્યાનનો જ છે એવું કહેવામાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ નથી થતી.
પ્રશ્ન : સમાધિની અવસ્થામાં સાધકને શરીરનું ભાન રહે છે ખરું ?
ઉત્તર : જ્યાં સુધી સાધકને શરીરનું ભાન રહેતું હોય ત્યાં સુધી એણે સમાધિની અવસ્થામાં પ્રવેશ કર્યો છે એવું ન કહેવાય. સમાધિની ઉચ્ચતમ અવસ્થા દરમિયાન શરીરનું ભાન બિલકુલ નથી રહેતું, કાળનું ભાન પણ નથી રહેતું અને આજુબાજુના વાતાવરણનું ભાન પણ નથી રહેતું. મનની વૃત્તિ અથવા તો મન એ બધાથી પર અથવા તો અતીત બની જાય છે. જ્યાં સુધી શરીરનું, કાળનું, અને આજુબાજુના વાતાવરણનું ભાન રહેતું હોય ત્યાં સુધી એ દશાને સમાધિની દશા નહિ પરંતુ ધ્યાનની દશા કહેવાય છે. ધ્યાન ને સમાધિની દશાનો એ ભેદ ધ્યાનમાં રાખો તો સમાધિના રહસ્યને સારી પેઠે સમજી શકશો.
પ્રશ્ન : સમાધિદશામાં ઓછામાં ઓછું કેટલા વખત સુધી રહેવું જોઈએ ?
ઉત્તર : સમાધિદશામાં ઓછામાં ઓછું કે વધારેમાં વધારે કેટલા વખત સુધી રહેવું તેનો કોઈ જ ચોક્કસ નિયમ નથી બાંધી શકાતો. એક વાત ખાસ યાદ રાખવાની છે કે સમાધિ દશામાં કોઈ કેટલા વખત સુધી સ્થિતિ કરે છે તે એટલું મહત્વનું નથી જેટલું મહત્તવનું એ દશામાં શું અનુભવે છે અને એ દશામાંથી જાગ્રત થયા પછી મનનું સ્વરૂપ કેવું રહે છે તે છે. સમાધિની મહત્તા એના સમય પરથી નથી મનાતી, પરંતુ એની ગુણવત્તા પરથી જ અંકાય છે એ કદી ભૂલાવું ન જોઈએ.