‘ઈશ્વરના મહિમાનું તમારામાંથી કોઈએ દર્શન કર્યું છે ખરું?’
ટોળે વળેલા ઉમેદવારોને સંબોધીને સંસ્થાના સંચાલકે સવાલ કર્યો.
‘હા.’ એમાંથી એક યુવાન બોલી ઉઠ્યો: ‘મેં દર્શન કર્યું છે.’
‘ક્યાં? કોનામાં?’ સંચાલકે ફરી પૂછ્યું.
યુવાન સંસ્થાના મકાનમાં ગયો ને થોડી વારે એક બાળક સાથે બહાર આવ્યો.
‘આનામાં – આ બાળકમાં મને ઈશ્વરના મહિમાનું દર્શન થઈ રહ્યું છે. આ ઈશ્વરનો મહાન પ્રતિનિધિ છે.’ તેણે પોતાની વાતનો ખુલાસો કર્યો.
ને સંચાલકે કહ્યું: ‘આ જ યુવાન મારી નવી ખોલનારી બાળ સંસ્થા માટે લાયક છે. તે તેનો વ્યવસ્થાપક બનીને બાળકોની સેવા કરી શકશે.’
- શ્રી યોગેશ્વરજી