લક્ષ્મીપૂજનને દિવસે લોકો લક્ષ્મીનું પૂજન કરી રહ્યા હતા, ત્યારે હું ગામ-બહાર ફરવા નીકળી પડ્યો. ત્યાં જે જોવામાં આવ્યું તેથી મને આશ્ચર્ય થયું. એક સ્ત્રી ને પુરુષ પોતાના ખેતરની પૂજા કરતા હતા.
મારા આશ્ચર્યને ઓળખી લઈને તેમણે ઉત્તર આપ્યો: ‘અમારી લક્ષ્મી તો આ જ છે. આ જ ધરતીમાતા. બીજી લક્ષ્મીને અમે ક્યાંથી ઓળખીએ? આને લીધે જ અમારી શ્રી ને સંપત્તિ ટકી રહે છે. આ જ અમારી જીવાદોરી છે. એનું નહીં તો બીજા કોનું અમે પૂજન કરીએ?’
મને તેમનું પૂજન જોઈને આનંદ થયો. પૂજાની ભાવના આમ સૌના દિલમાં રમવા માંડે તો? એ વિચાર સાથે હું વિદાય થયો.
- શ્રી યોગેશ્વરજી
મારા આશ્ચર્યને ઓળખી લઈને તેમણે ઉત્તર આપ્યો: ‘અમારી લક્ષ્મી તો આ જ છે. આ જ ધરતીમાતા. બીજી લક્ષ્મીને અમે ક્યાંથી ઓળખીએ? આને લીધે જ અમારી શ્રી ને સંપત્તિ ટકી રહે છે. આ જ અમારી જીવાદોરી છે. એનું નહીં તો બીજા કોનું અમે પૂજન કરીએ?’
મને તેમનું પૂજન જોઈને આનંદ થયો. પૂજાની ભાવના આમ સૌના દિલમાં રમવા માંડે તો? એ વિચાર સાથે હું વિદાય થયો.
- શ્રી યોગેશ્વરજી