સંત પુરૂષની પૂર્ણ કૃપા હો;
સંકટ આવે, કંટક પરથી
પડે ચાલવું કદી પછી છો. ... સંત પુરૂષની.
વિઘ્નોનાં વાદળ વિખરાશે,
દુઃખ બધાંયે દૂર થશે જો;
કરમાયેલાં કોમળ બનશે,
ખીલી ઉઠશે ફરી હૃદય તો. ... સંત પુરૂષની.
જડજીવનમાં ચેતન ફરશે,
રોતાંને ના પાર હરખનો ;
દળદર દૂર થશે જીવનનાં,
અમૃત વરસી જાય પછી તો. ... સંત પુરૂષની.
આશીર્વાદ મળ્યે સંતોના,
અશક્ય અવનીમાં નવ કૈં હો ;
'પાગલ’ પ્રભુ કરુણા વરસાવો,
સંશય શ્રેયતણો જ પછી શો ? ... સંત પુરૂષની.
- શ્રી યોગેશ્વરજી