निष्कलं निष्क्रियं शान्तं निरवद्यं निरञ्जनम् ।
अमृतस्य परं सेतुं दग्धेन्दनमिवानलम् ॥१९॥
niskalam niskriyam santam niravadyam niranjanam ।
amrtasya param setum dagdhendanamivanalam ॥ 19॥
કલારહિત ને અક્રિય છે જે, શાંત, વિમલ, નિર્દોષ વળી,
અમૃતના જે સેતુ, જલેલાં કાષ્ઠતણા અંગારસમા,
જે છે ખૂબ જ જ્યોતિભર્યા, ને જ્ઞાનસ્વરૂપ પરમચેતન,
તે પ્રભુને શરણે જાઊં, દે શાંતિ મને શાંતિનિકેતન. ॥૧૯॥
અર્થઃ
નિષ્કલમ્ - કળારહિત
નિષ્ક્રિયમ્ - ક્રિયારહિત
શાન્તમ્ - શાંત
નિરવદ્યમ્ - નિર્દોષ
નિરંજનમ્ - નિર્મળ
અમૃતસ્ય - અમૃતના
પરમ્ - પરમ
સેતુમ્ - સેતુરૂપ
દગ્ધેન્ધનમ્ - બળેલાં કાષ્ઠથી યુક્ત
અનલમ્ ઇવ - અગ્નિની પેઠે (પવિત્ર પ્રકાશ-સ્વરૂપ પરમાત્માનું હું ચિંતન કરું છું.)
ભાવાર્થઃ
પરમાત્મા બળેલા કાષ્ઠવાળા અગ્નિની પેઠે પવિત્ર પ્રકાશ-સ્વરૂપ છે; કળારહિત, ક્રિયારહિત, નિર્દોષ, નિર્મળ, શાંત, અમૃતના પરમ સેતુરૂપ છે. એમનું હું પ્રેમપૂર્વક ચિંતન કરું છું.