યોગી બને એટલે માનવ જંગલમાં ચાલ્યો જાય એવું નથી પરંતુ મન અને ઈન્દ્રિયોનો સંયમ કરતો થઈ જાય. જ્યાં રહે ત્યાં રહીને જાગૃતિપૂર્વકનું જીવન જીવે, પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર તટસ્થ રીતે જીવન જીવે અને પોતાને માટે જીવતો હોય એને બદલે બીજાને માટે જીવવાનું વ્રત લે. યોગનો સાધક આવો આદર્શ માનવ થઈ જાય છે.
- શ્રી યોગેશ્વરજી






















