યોગાભ્યાસને માટે, જીવનને મુક્તિ અને પૂર્ણતાથી સંપન્ન બનાવવા માટે ક્યાંયે નાસી જવાની કે સંબધવિચ્છેદ કરવાની જરૂર નથી. આપણા લૌકિક કર્તવ્યોને પણ તિલાંજલી આપવાની આવશ્યકતા નથી. આપણે સમાજની અંદર જ આદર્શ મનુષ્યને છાજે તે રીતે રહીએ અને સમાજજીવન તથા વ્યક્તિગત જીવનમાંથી દુર્ગુણોને નેસ્તનાબૂદ કરવા સંકલ્પબધ્ધ થઈએ. આ જ ગીતાનો સંદેશો છે.






















