શરીરને ક્યે વખતે ક્યાં અને કેવી સ્થિતીમાં રાખવું એ ઈશ્વરના હાથની વાત છે. આપણે મનને ભગવાનમાં પણ રાખી શકીએ અને શયતાનમાં પણ રાખી શકીએ; આસુરી સંપત્તિથી આવૃત બની શકીએ કે દૈવી સંપત્તિથી સંપન્ન બની શકીએ; સત્કર્મો કરી શકીએ કે દુષ્કર્મો કરી શકીએ; સદભાવનાથી સંપન્ન બની શકીએ કે વાસનાના દાસ બની શકીએ. સાધકે દરેક સ્થિતિમાં મનને પરમાત્મામાં પરોવતાં શીખવું જોઈએ.






















