ધ્યાન કરતી વખતે મનને કયાં કેન્દ્રિત કરવું તે વ્યક્તિગત રુચિ કે પ્રકૃતિનો સવાલ છે. પણ હું પોતે એવું માનું છું કે યોગમાર્ગમાં આગળ વધવા માગનાર સાધકે પોતાના હૃદયપ્રદેશમાં કેન્દ્રિકરણ ન કરવું જોઈએ કારણ હૃદયપ્રદેશ લાગણીઓનું કેન્દ્ર છે અને યોગીએ પોતાની લાગણીઓને અસાધારણ બનાવવાની આવશ્યકતા નથી પરંતુ લાગણીઓને નિયંત્રિત કે સંયમીત કરવાની આવશ્યકતા છે.






















