પ્રજાને પ્રેરણા ક્યાંથી મળે છે? પ્રજા રાજકીય નેતાઓ પાસેથી, શાળા કે વિશ્વવિદ્યાલયના અધ્યાપકો પાસેથી, ધર્માચાર્યો પાસેથી અને સાહિત્યમાંથી પ્રેરણા ગ્રહણ કરે છે. જો આ બધા જ સ્ત્રોતો આદર્શ હોય, માનવતાથી મહેકતા હોય તો પ્રજા તેમાંથી ઉત્તમ પ્રકારની પ્રેરણા પામી આગળ વધે છે. આજકાલ આ પ્રેરણાંના ઝરણાંઓ સુકાઈ ગયેલા હોય તેવું દેખાય છે. પ્રજાને બેઠી કરવા, દેશને શક્તિશાળી બનાવવા એ સ્ત્રોતોને માનવતાથી મહેકતા કરવાની આવશ્યકતા છે.






















