પરમાત્માની પરમકૃપાને અનુભવવા પ્રાર્થના જેવું સીધું, સરળ, સરસ અને સચોટ સાધન બીજું કોઇ જ નથી. જો નિયમિત સમજપૂર્વક રીતે પ્રાર્થનાનો આધાર લઇએ તો બીજી કોઇ સાધનાની આવશ્યકતા નહીં રહે. એ એક જ સાધનથી આત્મવિકાસના પાવન પથ પર પ્રયાણ કરી આગળ વધી શકીએ અને પૂર્ણતાને પામી શકીએ.






















