ઘરમાં રહેવું એક વાત છે અને ઘરના બનીને રહેવું બીજી વાત છે. તમે સંસારમાં રહી વિભિન્ન પ્રકારના કર્તવ્યોનું પરિપાલન અથવા અનુષ્ઠાન કરો પણ સંસારને તમારી અંદર ન રાખો. તમારી અંદર સંસાર નહીં પણ ભગવાન જ રહે - એવી સ્થિતિ જ્યારે થઈ જશે ત્યારે પરમાત્માનો પરમ પ્રેમ તમારા જીવનમાં ઉદય પામશે. તે વખતે તમારા સંસ્કારોના સુપરિણામ સ્વરૂપે તમારી અવસ્થા એવી થશે કે તમે સંસારમાં રહી જ નહીં શકો. પદ, પ્રતિષ્ઠા, સત્તા, યૌવન કે અધિકારની મોહિની તમને ચલાયમાન નહીં કરી શકે. ત્યારે તમે બાહ્ય ત્યાગ કરી શકશો.






















