ભગવાનનો પ્રેમરસ જેણે ચાખ્યો છે, આત્માના અલૌકિક આનંદને જેણે અનુભવ્યો છે, તેને અનાત્મ પદાર્થોના આકર્ષણો કદિકાળ આકર્ષિત કરી શકતા નથી. એ તો આત્માની દુનિયામાં જ સદા અવગાહન કર્યા કરે છે, એને શોક કે મોહ સતાવી શકતા નથી, ભયની ભૂતાવળો એને લાગતી નથી. એનું જીવન સર્વપ્રકારે નિર્મળ અને નિર્મમ બની જાય છે. એ જીવનની અંદર આનંદનો મહોત્સવ કરતો થઈ જાય છે.
- શ્રી યોગેશ્વરજી