તદ્દન એકાંત હોય, બહારથી કોઈ શબ્દ ન સંભળાતા હોય તોપણ માનવ પોતાના મનને સ્થિર કરી શકે એવું નથી. કારણ કે જ્યારે બહારના શબ્દો સંભળાતા નથી ત્યારે પણ અંદર સૂતેલાં સંસ્કારોને લીધે માનવ કલ્પના કરી શબ્દોનું શ્રવણ કર્યા કરે છે. તે જ રીતે આંખ બંધ કર્યા પછી બહારના દ્રશ્યો ભલે ન દેખાતા હોય પણ મનની આંખ આગળ કલ્પનાજન્ય દ્રશ્યો દેખાયા કરે છે. અને એની પ્રતિક્રિયાને પરિણામે આપણે હર્ષ-શોક કે શાંતિ અને અશાંતિનો અવુભવ કરીએ છીએ. એથી શરૂઆતમાં સાધકે મનને સ્થિર કરવાનો સંઘર્ષ કરવો પડે છે.
- શ્રી યોગેશ્વરજી






















