જપ કે ધ્યાન કરતી વખતે મનને ક્યાં સ્થિર કરવું જોઈએ? તમે જ્યાં તમારા મનને સહેલાઈથી એકાગ્ર કરી શકતા હો, જ્યાં કેન્દ્રિત કરવાથી તમારું મન બાહ્ય સંકલ્પ વિકલ્પોને પરિત્યાગીને સહેલાઈથી એકાગ્રતા અનુભવી શકતું હોય ત્યાં મનને સ્થિર કરો. ચિત્તને હૃદયપ્રદેશ, ભ્રમરમધ્યે કે અન્ય સ્થાને કેન્દ્રિત કરવું તે વ્યક્તિગત રૂચિનો પ્રશ્ન છે. એને માટેનો કોઈ નિશ્ચિત નિયમ દરેક સાધકને માટે બાંધી શકાતો નથી. પ્રત્યેક સાધકે પોતાની રૂચિ મુજબ ધ્યાનની પધ્ધતિની પસંદગી કરવી જોઈએ.
- શ્રી યોગેશ્વરજી






















