Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કુદરતને ખોળે નિર્દોષ રીતે ખેલનારા હરણોને મારીને તેમનાં ચર્મોને ઉતારી તેવા આસન પર બેસી જપ-તપ કરવાં કોઈ સાધક કે સિધ્ધને શોભે નહીં. નિર્દોષ પ્રાણીઓના લોહીથી ખરડાયેલાં આસન આપણે શા માટે વાપરવા જોઈએ? સાધના માટે મૃગચર્મ કે વ્યાઘ્રચર્મ, અરે! કોઈપણ આસન અનિવાર્ય નથી. સાધના માટે તો નિરોગી શરીર અને સાત્વિક મન જ અનિવાર્ય છે. કેટલાં કહે છે કે તેમાંથી magnetism મળે છે, પણ મોટામાં મોટું magnetism તો આત્મામાં છે. તમે પોતે જ શક્તિનાં ભંડાર છો, પ્રસન્નતાના Power House છો. ચામડાંઓમાંથી magnetism ને ક્યાં શોધો છો?
- શ્રી યોગેશ્વરજી