યોગ એ એક પ્રકારનું અન્વેષણ કે સંશોધન છે. મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? હું કેવળ બહારથી દેખાય છે તેટલું શરીર જ છું ? રક્તવાહિનીઓ, ફેફસાં, આંતરડા, પાંસળીઓ અને હાડકાંઓનો બનેલો માળો જ છું? આ બધું તો જડ છે. હું તો જડ નથી, ચિન્મય છું. તો પછી ખરેખર હું કોણ છું? જેને લીધે હું જડ આંખ દ્વારા જોઈ રહ્યો છું, જડ વાણી દ્વારા બોલી રહ્યો છું, શરીર જડ હોવા છતાં હલનચલન કરી રહ્યો છું - એ જે ચેતન તત્વ છે તેને ઓળખવું તે જ યોગનું લક્ષ્ય છે.
- શ્રી યોગેશ્વરજી






















