માનવ પોતાનો ઘડવૈયો બની શકે, પોતાના ભાગ્યનું નિર્માણ કરી શકે, પરંતુ તે માટે તેણે સૌપ્રથમ નક્શો તૈયાર કરવો પડે અને પછી તેને સાકાર સ્વરૂપ આપવા પ્રમાદને ત્યાગી પુરૂષાર્થ કરવો પડે. જે માનવ કેવળ નક્શાઓ જ બનાવ્યા કરે અને તેને સાકાર સ્વરૂપ આપવા ક્રિયાશીલ ન બને તેની યોજનાઓ કાગળ પર જ રહી જાય છે. તેવી જ રીતે, માનવે આત્મવિકાસની યોજનાઓને સક્રિય સ્વરૂપ આપવા માટે નિશ્ચયાત્મક રીતે અને નિયમિત રીતે સાધનાપરાયણ થવું જોઈશે.
- શ્રી યોગેશ્વરજી






















