જ્યાં સુધી માનવ પોતાના મન અને ઈન્દ્રિયો પર વિજય પ્રસ્થાપિત કરવાને માટેનો પ્રામાણિક પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તે ભક્તિની સાધનામાં સફળ નહીં થઈ શકે, જ્ઞાનની સાધનામાં પણ સુચારૂરુપે આગળ નહીં વધી શકે અને યોગની સાધનામાં પણ પ્રગતિ નહીં કરી શકે. માનવ જ્ઞાન, ભક્તિ, યોગ કે કર્મ - ગમે તે માર્ગે આગળ વધે પરંતુ તેણે પોતાના વિચારો અને ભાવો પર નિયંત્રણ પ્રસ્થાપવા પ્રયત્નો કરવા જોઈશે. તો જ એની સાધના સફળ થશે.
- શ્રી યોગેશ્વરજી






















