આપણે ફૂલના બગીચા તરફ જઈએ તો પ્રવેશ કરતાં જ આપણે ઈચ્છા કરીએ કે ન કરીએ તો પણ ફોરમની પ્રાપ્તિ આપોઆપ થવાની. પરંતું ફોરમની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય ન હોવું જોઈએ. આપણું લક્ષ્ય તો ફોરમ જેમાં રહે છે તે ફૂલના દર્શન કે અવલોકનનું હોવું જોઈએ. તે જ રીતે, યોગ, ભક્તિ કે જ્ઞાનને નામે જે પણ સાધનાઓનો આધાર લેવાય તેમનું એકમાત્ર લક્ષ્ય આત્મદર્શન કે પરમાત્માની પ્રાપ્તિનું હોવું જોઈએ. એ લક્ષ્યનું વિસ્મરણ કદાપિ ન થવું જોઈએ.
- શ્રી યોગેશ્વરજી






















