પ્રશ્ન : કેટલાક સત્કર્મપરાયણ ઊંચી કોટીના સંતો અથવા ભક્તોના જીવનમાં કેટલીકવાર પ્રતિકૂળતાઓ આવે છે અને એમને જુદી જુદી જાતના કષ્ટોનો તથા રોગોનો સામનો કરવો પડે છે તેનું કારણ શું હશે ?
ઉત્તર : જુદા જુદા માનવોના જીવનમાં જે કાંઈ સારું અથવા ખરાબ બને છે તેની પાછળ કર્મનો ચોક્કસ નિયમ કામ કરતો હોય છે. કશું જ કોઈપણ પ્રકારના કારણ વગર એમને એમ થતું નથી. કોઈ વાર કારણ સમજાય તો કોઈ વાર સહેલાઈથી ના પણ સમજાય, તો પણ કર્મનો નિયમ તો કામ કરતો જ હોય છે.
પ્રશ્ન : એનો અર્થ એવો કરી શકાય કે એવા મહાપુરુષોએ એમના જીવનમાં સારાં કર્મોનો આધાર નહિ લીધો હોય ?
ઉત્તર : એમણે એમના જીવનમાં સારા કર્મોનો આધાર તો અવશ્ય જ લીધો હશે. એથી તો એ ભક્ત, સંત, યોગી કે જ્ઞાની મહાપુરુષ બની શક્યા, પરંતુ એમની દ્વારા કોઈ બીજાં પ્રતિકૂળ કર્મો પણ થયાં હોય એવું બની શકે છે. કર્મોના એ રહસ્યને જાણવાનું કાર્ય અતિશય અઘરું છે. આપણે તો કેવળ અનુમાન જ કરી શકીએ.
પ્રશ્ન : તો પછી સામાન્ય માનવો અને એવા મહાપુરુષોમાં તફાવત ક્યાં રહ્યો ? પ્રતિકૂળતા, વિઘ્ન, વ્યાધિનો સામનો તો બંનેને કરવો પડતો હોય છે.
ઉત્તર : સામાન્ય અને અસામાન્ય બંને પ્રકારના માનવોને પ્રતિકૂળતાનો, કષ્ટોનો તથા રોગોનો સામનો કરવો પડે છે, એ વાત સાચી હોવા છતાં પણ બંને પ્રકારના માનવોના મન પર એમની અસરો જુદી જુદી રીતે થતી હોય છે. સામાન્ય માનવો પ્રતિકૂળ પરિસ્થિતિથી ડરી, ડગી કે ગભરાઈ જાય છે અને આત્મવિશ્વાસને ખોઈ બેસે છે. કોઈવાર નિરાશાના શિકાર બનીને કુમાર્ગે પણ વળી જાય છે. પરંતુ મહાપુરુષો પોતાના મન પર કાબૂ કરી શક્યા હોવાથી અને પરમાત્મામાં અચળ વિશ્વાસ રાખતા હોવાથી ગમે તેવી, ગમે તેટલી પ્રતિકૂળતાઓ, આપત્તિઓ અને નિષ્ફળતાઓ આવે તો પણ ડરતા નથી, ડગતા નથી તથા આત્મવિશ્વાસને કદી પણ ગુમાવતા નથી. પરમાત્મા પ્રત્યે અચળ વિશ્વાસ રાખીને એ સઘળા સંજોગોમાં શાંત રહે છે. જે કાંઈ સહન કરવું પડે છે તે શાંતિથી સહન કરે છે, અને કદી પણ વિપથગામી બનતા નથી. એ કર્તવ્યની કેડી પર દિનપ્રતિદિન ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા રહે છે. એવી રીતે એમનામાં અને સામાન્ય માનવોમાં માનસિક વિકાસની દૃષ્ટિએ આભજમીનનો તફાવત હોય છે.
પ્રશ્ન : માનવ માત્રને પ્રતિકૂળતા, કષ્ટ તથા વ્યાધિના ભોગ બનવું પડે છે ?
ઉત્તર : એનો કોઈ સર્વસામાન્ય નિયમ નથી હોતો, તો પણ સામાન્ય રીતે મોટાભાગના માનવોને તેમના ભોગ બનવું પડે છે. જેવી રીતે માનવોને સંપત્તિ વેરો લાગુ પડે છે તેવી રીતે એ સંબંધમાં પણ સમજી લેવાનું છે. જે જન્મે છે તે શરીરના કેટલાક સારાનરસા ઋણાનુબંધોને લઈને જન્મે છે. એ ઋણાનુબંધોને અનુસરીને માનવ સુખ અને દુઃખનો ઉપભોગ કરતો હોય છે. એ ઉપભોગમાંથી કોઈપણ માનવ છૂટી શકતો નથી. ઉપભોગની અસરોમાંથી છૂટવા માટે સૌ કોઈ સ્વતંત્ર હોય છે.
પ્રશ્ન : ઈશ્વરની કૃપાથી, મંત્રજપથી અથવા બીજી કોઈ ધર્મ ક્રિયાની મદદથી પ્રતિકૂળતા, કષ્ટ અથવા વ્યાધિમાંથી છૂટી શકાય ખરું ?
ઉત્તર : જરૂર છૂટી શકાય. ઈશ્વરકૃપા તો સર્વોપરી હોય છે. એની આગળ કાંઈપણ અશક્ય નથી હોતું. એને જે માંગે છે અથવા મેળવે છે, તે સર્વપ્રકારે સુખી થાય છે. એ માનવને દુઃખમાંથી મુક્તિ આપે છે. નામજપ તથા બીજી એવી ધાર્મિક ક્રિયાઓના સંબંધમાં પણ એવું જ સમજી લેવાનું છે. એ ક્રિયાઓની મદદથી માનવ આધિ, વ્યાધિ તથા ઉપાધિમાંથી મુક્તિ મેળવે છે. પ્રારબ્ધ ખૂબ જ બળવાન હોય તો પણ પ્રતિકૂળતા તથા સંકટોને શાંતિથી સહન કરવાની શક્તિ સાંપડે છે. આપણાં ધર્મશાસ્ત્રોએ એટલા માટે જ એમનો આધાર લેવાની ભલામણ કરી છે. પ્રતિકૂળતા અથવા કષ્ટ કોઈપણ કારણે આવતું હોય પણ તેનો ઉપાય કરવા માટે માનવ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. એણે એનો પ્રતિકાર કરવો જ જોઈએ.
પ્રશ્ન : ઉપાય કરવા છતાં પણ પ્રતિકૂળતા અને મુસીબતમાંથી મુક્તિ ના મળે તો શું સમજવું ?
ઉત્તર : એવે વખતે એવું સમજવું અને આશ્વાસન મેળવવું કે પ્રારબ્ધકર્મ ખૂબ જ બળવાન છે, એ છતાં પણ નિરાશ તો બનવું જ નહીં.
ઉત્તર : જુદા જુદા માનવોના જીવનમાં જે કાંઈ સારું અથવા ખરાબ બને છે તેની પાછળ કર્મનો ચોક્કસ નિયમ કામ કરતો હોય છે. કશું જ કોઈપણ પ્રકારના કારણ વગર એમને એમ થતું નથી. કોઈ વાર કારણ સમજાય તો કોઈ વાર સહેલાઈથી ના પણ સમજાય, તો પણ કર્મનો નિયમ તો કામ કરતો જ હોય છે.
પ્રશ્ન : એનો અર્થ એવો કરી શકાય કે એવા મહાપુરુષોએ એમના જીવનમાં સારાં કર્મોનો આધાર નહિ લીધો હોય ?
ઉત્તર : એમણે એમના જીવનમાં સારા કર્મોનો આધાર તો અવશ્ય જ લીધો હશે. એથી તો એ ભક્ત, સંત, યોગી કે જ્ઞાની મહાપુરુષ બની શક્યા, પરંતુ એમની દ્વારા કોઈ બીજાં પ્રતિકૂળ કર્મો પણ થયાં હોય એવું બની શકે છે. કર્મોના એ રહસ્યને જાણવાનું કાર્ય અતિશય અઘરું છે. આપણે તો કેવળ અનુમાન જ કરી શકીએ.
પ્રશ્ન : તો પછી સામાન્ય માનવો અને એવા મહાપુરુષોમાં તફાવત ક્યાં રહ્યો ? પ્રતિકૂળતા, વિઘ્ન, વ્યાધિનો સામનો તો બંનેને કરવો પડતો હોય છે.
ઉત્તર : સામાન્ય અને અસામાન્ય બંને પ્રકારના માનવોને પ્રતિકૂળતાનો, કષ્ટોનો તથા રોગોનો સામનો કરવો પડે છે, એ વાત સાચી હોવા છતાં પણ બંને પ્રકારના માનવોના મન પર એમની અસરો જુદી જુદી રીતે થતી હોય છે. સામાન્ય માનવો પ્રતિકૂળ પરિસ્થિતિથી ડરી, ડગી કે ગભરાઈ જાય છે અને આત્મવિશ્વાસને ખોઈ બેસે છે. કોઈવાર નિરાશાના શિકાર બનીને કુમાર્ગે પણ વળી જાય છે. પરંતુ મહાપુરુષો પોતાના મન પર કાબૂ કરી શક્યા હોવાથી અને પરમાત્મામાં અચળ વિશ્વાસ રાખતા હોવાથી ગમે તેવી, ગમે તેટલી પ્રતિકૂળતાઓ, આપત્તિઓ અને નિષ્ફળતાઓ આવે તો પણ ડરતા નથી, ડગતા નથી તથા આત્મવિશ્વાસને કદી પણ ગુમાવતા નથી. પરમાત્મા પ્રત્યે અચળ વિશ્વાસ રાખીને એ સઘળા સંજોગોમાં શાંત રહે છે. જે કાંઈ સહન કરવું પડે છે તે શાંતિથી સહન કરે છે, અને કદી પણ વિપથગામી બનતા નથી. એ કર્તવ્યની કેડી પર દિનપ્રતિદિન ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા રહે છે. એવી રીતે એમનામાં અને સામાન્ય માનવોમાં માનસિક વિકાસની દૃષ્ટિએ આભજમીનનો તફાવત હોય છે.
પ્રશ્ન : માનવ માત્રને પ્રતિકૂળતા, કષ્ટ તથા વ્યાધિના ભોગ બનવું પડે છે ?
ઉત્તર : એનો કોઈ સર્વસામાન્ય નિયમ નથી હોતો, તો પણ સામાન્ય રીતે મોટાભાગના માનવોને તેમના ભોગ બનવું પડે છે. જેવી રીતે માનવોને સંપત્તિ વેરો લાગુ પડે છે તેવી રીતે એ સંબંધમાં પણ સમજી લેવાનું છે. જે જન્મે છે તે શરીરના કેટલાક સારાનરસા ઋણાનુબંધોને લઈને જન્મે છે. એ ઋણાનુબંધોને અનુસરીને માનવ સુખ અને દુઃખનો ઉપભોગ કરતો હોય છે. એ ઉપભોગમાંથી કોઈપણ માનવ છૂટી શકતો નથી. ઉપભોગની અસરોમાંથી છૂટવા માટે સૌ કોઈ સ્વતંત્ર હોય છે.
પ્રશ્ન : ઈશ્વરની કૃપાથી, મંત્રજપથી અથવા બીજી કોઈ ધર્મ ક્રિયાની મદદથી પ્રતિકૂળતા, કષ્ટ અથવા વ્યાધિમાંથી છૂટી શકાય ખરું ?
ઉત્તર : જરૂર છૂટી શકાય. ઈશ્વરકૃપા તો સર્વોપરી હોય છે. એની આગળ કાંઈપણ અશક્ય નથી હોતું. એને જે માંગે છે અથવા મેળવે છે, તે સર્વપ્રકારે સુખી થાય છે. એ માનવને દુઃખમાંથી મુક્તિ આપે છે. નામજપ તથા બીજી એવી ધાર્મિક ક્રિયાઓના સંબંધમાં પણ એવું જ સમજી લેવાનું છે. એ ક્રિયાઓની મદદથી માનવ આધિ, વ્યાધિ તથા ઉપાધિમાંથી મુક્તિ મેળવે છે. પ્રારબ્ધ ખૂબ જ બળવાન હોય તો પણ પ્રતિકૂળતા તથા સંકટોને શાંતિથી સહન કરવાની શક્તિ સાંપડે છે. આપણાં ધર્મશાસ્ત્રોએ એટલા માટે જ એમનો આધાર લેવાની ભલામણ કરી છે. પ્રતિકૂળતા અથવા કષ્ટ કોઈપણ કારણે આવતું હોય પણ તેનો ઉપાય કરવા માટે માનવ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. એણે એનો પ્રતિકાર કરવો જ જોઈએ.
પ્રશ્ન : ઉપાય કરવા છતાં પણ પ્રતિકૂળતા અને મુસીબતમાંથી મુક્તિ ના મળે તો શું સમજવું ?
ઉત્તર : એવે વખતે એવું સમજવું અને આશ્વાસન મેળવવું કે પ્રારબ્ધકર્મ ખૂબ જ બળવાન છે, એ છતાં પણ નિરાશ તો બનવું જ નહીં.